March 4, 2026
તાજા સમાચાર

વડોદરા – ગણેશ ચતૂર્થી નિમિત્તે વડોદરા પોલીસનું જાહેરનામું, ઉંચી પ્રતિમા પર મુકાયો પ્રતિબંધ

ગણેશ ચતૂર્થીની તૈયારીઓ અત્યારથી જ થઈ રહી છે ત્યારે આ મામલે વડોદરા પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 9 ફૂટથી ઉંચી ગણેશ પ્રતિમા બનાવવા, વેચવા કે સ્થાપન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે અન્ય કેટલીક બાબતોનો ઉલ્લેખ પણ જાહેરનામામાં કરવામાં આવ્યો છે.

ગણેશ પ્રતિમાની ઉંચાઈને લઈને વિવાદ થઈ શકે છે. મૂર્તિકારો અને આયોજકો આ જાહેરનામાનો વિરોધ કરે તેવી પણ શક્યતા છે. જો કે, જાહેરનામાનો ઉલ્લઘન કરે તો ફોજદારીનો કેસ પણ નોંધાઈ શકે છે તેમ ઉલ્લેખ કરાયો છે. ભક્તો માટે માટીની મૂર્તિના સ્થાપનમાં 9 ફૂટ સુધીની લિમિટ રાખવામાં આવી છે. જેથી 9 ફૂટ સુધીની મૂર્તિનું સ્થાપન કરી શકાશે.

આ ઉપરાંત ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવાનું રહેશે.
પીઓપી કે ફાયબરની 5 ફૂટથી ઉંચી પ્રતિમાના સ્થાપન પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પોલીસ મંજૂરી સિવાય અન્ય કોઈ જગ્યાએ મૂર્તિ વિસર્જન નહીં કરી શકાય.
મૂર્તિઓની બનાવટ કે વેચાણ સ્થળે સ્વચ્છતા જાળવવા દિશા નિર્દેશ કરાયો.
ધાર્મિક લાગણી દુભાવતી મૂર્તિઓ બનાવી કે વેચાણ નહીં કરી શકાય.

વડોદરામાં ભાવી ભક્તો દ્વારા ગણેશજીની સ્થાપના પંડાલો અને ઘરોમાં કરવામાં આવે છે. ત્યારે અત્યારથી જ તેની તૈયારીઓ કેટલીક સંસ્થાઓ તેમજ યુવક મંડળ ગ્રુપો દ્વારા કરવામાં આવી રહી છે. તેવામાં પોલીસના આ જાહેરનામાને પણ અનુસરવાનું રહેશે.

Related posts

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Ahmedabad Samay

સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા શિક્ષક દિનના શુભ અવસર પર શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ચૂંટણી પરિણામ, ફરી એક વખત લોકોએ ભાજપને ‘જય શ્રીરામ’ કહી સતાનું સુકાન સોંપ્‍યું

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાઓને સંપૂર્ણ છૂટ આપી,આજે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠકોનો દોર ચાલશે

Ahmedabad Samay

એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા 26 વર્ષીય ગુલવીરે 28 મિનિટ 38.63 સેકન્ડનો સમય લઇને ગોલ્ડ મેડલ જીત્યો

Ahmedabad Samay

આ કારણે નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો