May 21, 2026
ગુજરાત

અસારવામાં 25.32 કરોડ, મણિનગરમાં 10.26 કરોડ ચાંદલોડીયમાં 48.18 કરોડના ખર્ચે તૈયાર થશે રેલ્વે સ્ટેશનો

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અમદાવાદ શહેર અને જિલ્લાના અસારવા અને વિરમગામ સહીતના રેલ્વે સ્ટેશનોના નવીનીકરણ થઈ રહ્યા છે.

પશ્ચિમ રેલવેના આ અમૃત ભારત સ્ટેશન યોજનામાં અમદાવાદ મંડળના કુલ ૧૬ સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ અને અમદાવાદ જિલ્લાના અસારવા,
મણિનગર, ચાંદલોડિયા, વટવા અને વિરમગામ સ્ટેશનનો સમાવેશ થાય છે.

અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લાના સ્ટેશનના અંદાજિત ખર્ચની વાત કરીએ તો અસારવા 25 કરોડ 32 લાખ, મણિનગર 10 કરોડ 26 લાખ ચાંદલોડિયા (A+B) 48
કરોડ 18 લાખ, વટવા 29 કરોડ 63 લાખ, વિરમગામ 39 કરોડ 12 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મહત્વાકાંક્ષી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન અને ટ્રાન્સફોર્મેશન માટે પશ્ચિમ રેલવેના 120 સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી 87
સ્ટેશનો ગુજરાતમાં,16 સ્ટેશન મહારાષ્ટ્રમાં, 15 સ્ટેશન મધ્યપ્રદેશમાં અને 2 સ્ટેશન રાજસ્થાન રાજ્યમાં નવનિર્માણ પામશે. ભારતીય રેલ આધુનિકીકરણની દિશામાં અને ભારત સરકારના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. સમગ્ર દેશમાં રેલ્વે સ્ટેશનોને વિશ્વ કક્ષાની સંસ્થાઓ તરીકે વિકસાવવાનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે.

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના1309 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે નવનિર્મિત કરવામાં આવી
રહ્યા છે, તેમાંથી 120 સ્ટેશન પશ્ચિમ રેલવેના અધિકાર ક્ષેત્રમાં આવે છે. પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના અસારવા, પાલનપુર, કલોલ, નવા ભુજ, ભચાઉ, પાટણ, હિંમતનગર, વિરમગામ અને ધ્રાંગધ્રા સ્ટેશનનોના નવીનિકરણ થશે.

Related posts

હાર્દિક હુંડિયા થયા દાદા સાહેબ ફાળકે ભારત ગૌરવ સન્માન એવોર્ડથી સમ્માનિત

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન (SIF)’ સંસ્થા દ્વારા અન્યાય સામે ન્યાયના વિજયનાં પ્રતીક સમા દશેરા તહેવાર નિમિત્તે રાવણ દહન અને સુર્પણખા દહન” કાર્યક્રમ યોજાયો હતો

Ahmedabad Samay

હવે એક મિસ્કોલ પર થશે ગેસ બુક

Ahmedabad Samay

ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં ભયંકર આગ લાગી

Ahmedabad Samay

૧૭મી લોકસભાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના શ્રી ગણેશ વિધિવત થઇ રહયા છે

Ahmedabad Samay

કોર્પોરેશન ની ઓફિસે NCP પ્રમુખ નિકુલસિંહ તોમર તથા હોદ્દેદારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો