June 22, 2026
ગુજરાત

રાત્રી કરફ્યુ ૦૯ થી સવારના ૦૬ સુધી અમલી,હોટેલ વાળા ખાલી ડિલિવરી કરી શકશે

Ad

રાજ્યના 36 શહેરોમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુની મુદત એક અઠવાડિયું વધારાઈ છે. જોકે રેસ્ટોરન્ટ અને ફૂડ સર્વિસને રાત્રે 10 વાગ્યા સુધી છૂટ અપાઈ છે ત્યારે લોકોમાં અસમંજસ છે કે શું રાત્રે 10 વાગ્યા સુધી હોટલ રેસ્ટોરન્ટમાં ફૂડ લેવા જઈ શકાશે કે કેમ ?

જે અંગે સૂત્રોએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રાત્રી કર્ફ્યુનો અમલ જાહેર જનતા માટે રાત્રે 9 વાગ્યાથી જ થશે. જોકે હોટલ રેસ્ટોરન્ટ વાળા જાતે અથવા ફૂડની હોમ ડિલિવરી કરતી સર્વિસીસ રાત્રે 10 વાગ્યા સુધી ફૂડની હોમ ડિલિવરી કરી શકશે. પરંતુ જનતા માટે રાત્રી કર્ફ્યુની અમલવારી રાત્રે 9 વાગ્યાથી થતી હોય લોકો જાતે રેસ્ટોરન્ટ પર ફૂડ લેવા જઈ શકશે નહીં.

આ સાથે અકીલાને સત્તાવાર સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે રાત્રે 9 થી 10 વચ્ચે રેસ્ટોરન્ટ વાળા અથવા ફૂડની હોમ ડિલિવરી કરતી સર્વિસીસના વ્યક્તિને પોલીસ કઈ કનડગત નહિ કરે.

Related posts

કરાઓકે દ્વારા ઓપન ગુજરાત કરાઓકે સુપરસ્ટાર સ્પર્ધા યોજી

Ahmedabad Samay

દેશી બોમ્બ સાથે ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી

Ahmedabad Samay

અમદાવાદ સમય સમાચાર પત્રના નામનું દૂર ઉપયોગ કરી ખોટા સમાચાર બનાવામાં આવ્યા, ફેસબુક એકાઉન્ટ કર્યું હેક

Ahmedabad Samay

૦૧ સપ્ટેમ્બર થી શાળા ખોલવા માટે નવી ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

કોરોના સંકટમાં આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

હનીટ્રેપમાં ધરપકડ કરાયેલા મહિલા પીઆઇએ ગત મોડી રાત્રે સેનિટાઈઝર પીધુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો