March 23, 2026
ગુજરાત

અમદાવાદ-બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસમાં આજે સુનાવણી

માનહાનિ કેસમાં તેજસ્વી યાદવ સામે આજે અમદાવાદ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પૂછપરછ અને સાક્ષીઓના નિવેદનો નોંધ્યા બાદ કોર્ટમાં સમન્સની સુનાવણી થાય તેવી શક્યતા છે. જો કે, સમન્સ પાઠવવમાં આવે છે તો તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી શકે છે.

અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. માનહાનિના આ કેસમાં કોર્ટની વાની ધારણા છે. તેજસ્વી યાદવે અગાઉ ગુજરાતીઓ ઠગ છે તેવું નિવેદન આપ્યું હતું. બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે આ મામલે અમદાવાદના બિઝનેસમેને માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તેજસ્વી યાદવ પર માનહાનિના કેસમાં ગુજરાતીઓનું અપમાન કરવાનો આરોપ છે.

ગુજરાતમાં માનહાનિના કેસનો સામનો કરી રહેલા બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના કેસમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. અગાઉ પ્રથમ સુનાવણી 1 મેના રોજ થઈ હતી. જે બાદ 8 મે, 19 મે અને ફરીથી 28 જૂન પછી 6 જુલાઈના રોજ છેલ્લી સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં આજની સુનાવણીમાં ફરિયાદી વતી બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને બોલાવવાની માંગ કરવામાં આવી શકે છે. આ કેસમાં અત્યાર સુધીમાં લગભગ 15 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. ફરિયાદીએ તેજસ્વી યાદવ વિરુદ્ધ તેમના નિવેદનના આધારે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તે નિવેદનની સીડી અને અસલ હોવાનું પ્રમાણપત્ર કોર્ટને સોંપવામાં આવ્યું છે.

Related posts

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

મરાઠી સમાજ માટે આવ્યા ખુશીના સમાચાર,બોમ્બે હાઇકોર્ટએ મરાઠા કોમને આર્થિક રીતે પછાત વર્ગમાં ગણવા મંજૂરી આપી છે

Ahmedabad Samay

RTEમાં અમાન્ય થયેલા અરજદારોને વધુ એક તક આપવામાં આવી છે. રદ થયેલા અરજદારો ફરી અરજી કરી શકશે

Ahmedabad Samay

ચાની લારી પર પેપર અને પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ લાદવાનો મનપાના નિર્ણયનો વેપારીઓ વિરોધ વ્યક્ત કર્યો

Ahmedabad Samay

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત નિકોલ ખાતે રામકથા ના સ્થાન પર વડાપ્રધાનનો ૧૦૦મો મનકી બાતનો કાર્યક્રમ નિહાળ્યો

Ahmedabad Samay

હે! ગણપતિ દાદા, તમે સર્જન કર્યું હતું, તો અમે શા માટે વિસર્જન કરીએ છીએ ?: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો