May 13, 2026
ગુજરાત

હવે અમદાવાદમાં 23 જગ્યાઓ પર ટાયર કિલર બંપ લગાવવામાં આવશે

ચાણક્યપુરી વિસ્તારમાં ટાયર કિલર બંપ લગાવાયા બાદ આ પાલટ પ્રોજેક્ટ સફળ રહેતા અમદાવાદમાં 23 જગ્યાઓ પર ટાયર કિલર બંપ લગાવવામાં આવશે. જેથી રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો પર અંકુશ લગાવી શકાય અને અકસ્માત તેમજ ટ્રાફિકની સમસ્યાઓનું નિરાકરણ આવી શકે.

ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘન કરીને વાહનો ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે પાયલોટ પ્રોજેક્ટના ભાગરુપે ટાયર કિલર બંપ ચાણક્યપુરી પાસે લગાવવામાં આવ્યો હતો. આ પાયલોટ પ્રોજેક્ટ બાદ ખાસ કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં ટાયર કિલર બંપ લાગશે. ટાયર કિલર બંપ આસપાસ અન્ય બે બંપ લગાવવામાં આવી રહ્યા છે. ત્

ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ કોર્પોરેશન હરકતમાં આવી છે અને ટ્રાફિકની સમસ્યા મામલે એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા છે.રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોના કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે ત્યારે તેને નાથવા માટે આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે.

કિલર ટાયર બંપ પર લોકો પથ્થરો પણ મુકી દે છે જેથી આ બંપના અણીદાર દાંતા નીચે થઈ જાય અને આસાનીથી પસાર થઈ શકાય. જો કે, આ નિયમોનું ઉલ્લઘન છે. ત્યારે આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત બંપ પર ગેપ પણ જોવા મળે છે જેના કારણે બાઈક ગેપમાંથી લોકો પસાર કરી રહ્યા છે. જો કે, અન્ય 23 બંપ પર બની શકે છે કે, આ સમસ્યા સામે કોઈ ઠોસ કામગિરી થશે. છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા અમદાવાદમાં વકરી છે ત્યારે લોકોને અંકુશમાં રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Related posts

સરકારી પ્રિમાઇસીસ બાદ ખાનગી પ્રિમાઇસીસમાં પણ કોરોનાની રસી લીધા વિના એન્ટ્રી પ્રતિબંધિત કરી દેવાનો મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લેવાયો નિર્ણય કરાયો

Ahmedabad Samay

નવા વર્ષમા સામાન્ય માણસ પર મોંઘવારીનો વધુ માર પડી શકે છે. બેંકિંગ ચાર્જથી લઈને એલપીજી સિલિન્ડરની કિંમતમાં થશે વધારો

Ahmedabad Samay

પ્રદીપસિંહ જાડેજાના હસ્તે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરાયું

Ahmedabad Samay

અમદાવાદમાં ગુમ થયેલા 3 બાળકો આખરે કાલુપુરથી મળી આવ્યા, જાણો શું હતો મામલો

Ahmedabad Samay

કરણી સેના દ્વારા લૂઆરા ગામ ની ઘટના અને મુદ્રા, ક્ચ્છ ની ઘટના સંદર્ભે કલેક્ટર અને મામલતદાર શ્રી ને આવેદન પત્ર અપાશે

Ahmedabad Samay

NEPના માધ્યમથી ભારતની ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે: શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો