March 27, 2026
ગુજરાત

હવે અમદાવાદમાં 23 જગ્યાઓ પર ટાયર કિલર બંપ લગાવવામાં આવશે

ચાણક્યપુરી વિસ્તારમાં ટાયર કિલર બંપ લગાવાયા બાદ આ પાલટ પ્રોજેક્ટ સફળ રહેતા અમદાવાદમાં 23 જગ્યાઓ પર ટાયર કિલર બંપ લગાવવામાં આવશે. જેથી રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો પર અંકુશ લગાવી શકાય અને અકસ્માત તેમજ ટ્રાફિકની સમસ્યાઓનું નિરાકરણ આવી શકે.

ટ્રાફિકના નિયમોનું ઉલ્લઘન કરીને વાહનો ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે પાયલોટ પ્રોજેક્ટના ભાગરુપે ટાયર કિલર બંપ ચાણક્યપુરી પાસે લગાવવામાં આવ્યો હતો. આ પાયલોટ પ્રોજેક્ટ બાદ ખાસ કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં ટાયર કિલર બંપ લાગશે. ટાયર કિલર બંપ આસપાસ અન્ય બે બંપ લગાવવામાં આવી રહ્યા છે. ત્

ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ કોર્પોરેશન હરકતમાં આવી છે અને ટ્રાફિકની સમસ્યા મામલે એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા છે.રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોના કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે ત્યારે તેને નાથવા માટે આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે.

કિલર ટાયર બંપ પર લોકો પથ્થરો પણ મુકી દે છે જેથી આ બંપના અણીદાર દાંતા નીચે થઈ જાય અને આસાનીથી પસાર થઈ શકાય. જો કે, આ નિયમોનું ઉલ્લઘન છે. ત્યારે આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત બંપ પર ગેપ પણ જોવા મળે છે જેના કારણે બાઈક ગેપમાંથી લોકો પસાર કરી રહ્યા છે. જો કે, અન્ય 23 બંપ પર બની શકે છે કે, આ સમસ્યા સામે કોઈ ઠોસ કામગિરી થશે. છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા અમદાવાદમાં વકરી છે ત્યારે લોકોને અંકુશમાં રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Related posts

આગામી ૩ મે થી ગરમીમાં ક્રમશ ઘટાડો થતો જશે અને આવતા મંગળવારથી ગુરૂવાર સુધી કમોસમી વરસાદની શકયતા

Ahmedabad Samay

ભારતથી આવતી ફ્લાઇટ પર કેનેડામાં વધુ એક મહિનો પાબંદી

Ahmedabad Samay

જુનાગઢના  પુર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમારની હત્યા કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ: જુનિયર કલાર્કની પરીક્ષા શરૂ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મોબાઈલ, સ્માર્ટ વોચ, ટેબલેટ, પર્સ પર પ્રતિબંધ!

admin

વટવા ખાતે નારાયણ સેવા સમિતિ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞની ભવ્ય કલશ યાત્રા યોજવામાં આવી

Ahmedabad Samay

શ્રી રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસને રામ કુટિર ફ્લેટ દ્વારા ધામ ધૂમથી ઉજવણી કરાઇ, સીતા રામ અને લક્ષ્મણજીની રંગોળી બનાવાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો