June 24, 2026
ગુજરાત

કિરણ પટેલના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર, છેતરપિંડીના મામલે વેપારીએ નોંધાવી હતી ફરીયાદ

મહાઠગ કિરણ પટેલના રીમાન્ડ મંજૂર કરાતા છેતરપિંડી મામલે પોલીસ દ્વારા તપાસ અને પૂછપરછ કરવામાં આવશે. મોરબીના વેપારીએ છેતરપિંડી મામલે ફરીયાદ નોંધાવી હતી. કોર્ટ દ્વારા 3 દિવસના રીમાન્ડ આપવામાં આવ્યા છે.

સોમવારે 4 વાગ્યા સુધીના રીમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે જો કે, પોલીસે 7 દિવસના રીમાન્ડની માગ કરી હતી. મહાઠગ કિરણ પટેલની સામે ગુજરાતમાં અને અમદાવાદમાં વિવિધ મામલે ગુનાઓ દાખલ થયા છે.

ત્યારે ચોથો ગુનો પણ દાખલ થતા પૂછપરછ માટે જમ્મુ કાશ્મીરથી ટ્રાન્સફર વોરન્ટ થકી અમદાવાદ કિરણ પટેલને લવાયો હતો જ્યારે 24 કલાકમાં કોર્ટમાં હાજર કરાયો હતો. ત્યારે મોરબીના વેપારીએ નોંધાવેલી ફરીયાદને આધારે રીમાન્ડ માગવામાં આવ્યા હતા રીમાન્ડ મળતા પોલીસ વધુ તપાસ આ મામલે કરશે.

મહાઠગ કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટ થકી અમદાવાદમાં લાવવામાં આવ્યો હતો અને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જમ્મુ કશ્મીર પોલીસની કસ્ટડીમાં હતો ત્યારે હવે મોરબીના વેપારી સાથે ઠગાઈના કેસમાં તેની ફરીથી ધરપકડ કરી અમદાવાદમાં લવાયો હતો.

એક બાદ એક ચારથી વધુ અમદાવાદમાં ફરીયાદ નોંધાઈ હતી. મોરબીના વેપારીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પીએમઓના ઓફિસર તરીકે ઓળખ આપીને મકાન પચાવી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. સોલામાં નોંધાયેલી ફરીયાદના આધારે તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરાશે.
સરહદી જિલ્લા કચ્છના ગાંધીધામ ખાતે યોજાયેલી તિરંગા યાત્રામાં વિવિધ સમાજો, સંસ્થાઓ દ્વારા ગૃહ રાજ્યમંત્રીનું સન્માન કરાયું

Related posts

NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ને RTE દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા અરજી કરાઇ

Ahmedabad Samay

સાબરમતી નદીના કિનારે, રિવરફ્રન્‍ટ ઇવેન્‍ટ સેન્‍ટર ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્‍સવની ભવ્‍ય ઉત્‍સવ સભાનું આયોજન કરાયું

Ahmedabad Samay

આ વેકેશનમાં તમારા બાળક માટે ટ્રેન ટિકિટ ખરીદવી જોઈએ કે નહીં તે અંગેની વિશેષ માહિતી

Ahmedabad Samay

અમદાવાદ: વાળીનાથ ચોક પાસે 4 દિવસ પહેલા પડેલા ભૂવાએ તંત્રની પોલ ખોલી, સમારકામ ન થતા વાહનચાલકોને હાલાકી

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વ્યાજમાફી સ્કિમ હેઠળ 236 કરોડ ટેક્સની આવક

Ahmedabad Samay

ભાજપમાં આંતરિક રોષ ઉભો થતા મંત્રીમંડળનું સંભવિત વિસ્તરણ હાલ તુર્ત ટાળી દેવામાં આવ્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો