March 29, 2026
Other

રોજના માત્ર ૧૦૦ રૂપિયા બચાવીને આ રીતે બનો કરોડપતિ

અમીર બનવા માટે કોઇ શોર્ટ કટ નથી. આ માટે ધીરજ અને લાંબા સમયની સાથે સિસ્‍ટેમેટિક ઇન્‍વેસ્‍ટમેન્‍ટની પણ જરૂર છે. માત્ર એક ક્‍લિકથી ગોલ્‍ડ, શેર માર્કેટ, મ્‍યુચ્‍યુઅલ ફંડ વગેરેમાં રોકાણ કરી શકો છો. જો તમે દરરોજ થોડા પૈસા બચાવો છો અને તેને યોગ્‍ય જગ્‍યાએ રોકાણ કરો છો, તો તમે એક મોટું ફંડ બનાવી શકો છો. જો તમે શેરબજારમાં નાણાંનું રોકાણ કરીને મોટું જોખમ લેવા માંગતા નથી, તો તમે મ્‍યુચ્‍યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકો છો. અહીં તમે SIP દ્વારા તમારી નાની બચતનું રોકાણ કરી શકો છો.

જો કરોડપતિ બનવું હોય તોતે ઘણુ આસાન છે.

તમારે રોજના ફક્‍ત ૧૦૦ રૂપિયા બચાવવા પડશે. અને SIP દ્વારા મ્‍યુચ્‍યુઅલ ફંડમાં રોકાણ કરવું પડશે. મ્‍યુચ્‍યુઅલ ફંડનું સરેરાશ વળતર ૧૨ ટકા જેટલું છે. જોકે, મ્‍યુ. ફંડના વળતરમાં વધઘટ થતી રહે છે, પણ જો તમે લાંબા સમય સુધી મ્‍યુચ્‍યુઅલ ફંડની વિવિધ યોજનાઓમાં રોકાણ કરો છો, તો તમે સરળતાથી કરોડપતિ બની શકો છો. તમે રોજના ૧૦૦ રૂપિયાની બચત કરીને થોડા વર્ષોમાં તમારી જાતને કરોડપતિ બનાવી શકો છો.

રોજના માત્ર ૧૦૦ રૂપિયા બચાવીને કેવી રીતે કરોડપતિ બની શકાય એ જાણીએ. તમારે રોજના ૧૦૦ રૂપિયા બચાવવાના છે. એ હિસાબે તમે દર મહિને ૩૦૦૦ રૂપિયા બચાવશો. દર મહિને મ્‍યુચ્‍યુઅલ ફંડ SIP (સિસ્‍ટેમેટિક ઇન્‍વેસ્‍ટમેન્‍ટ પ્‍લાન) માં આ ૩૦૦૦ રૂપિયાનું રોકાણ કરો. વર્ષે તમે ૩૬,૦૦૦ રૂપિયાનું રોકાણ કરશો. SIP કેલ્‍કયુલેટર મુજબ, આ રીતે તમે ૩૦ વર્ષમાં ૧૦,૮૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કરી લેશો.

હવે જો તમે મ્‍યુ. ફંડના સરેરાશ ૧૨ ટકાના વળતરનો હિસાબ માંડો છો તો તમને તમારા રોકાણ પર ૯૫,૦૯,૭૪૧ રૂપિયાનું વળતર મળશે. આ રીતે ૩૦ વર્ષમાં તમારા નાણા વધીને ૧,૦૫,૮૯,૭૪૧ રૂપિયા થઈ જશે અને તમે કરોડપતિ બની જશો કરોડપતિ.

Related posts

GIFA ૨૦૨૩ નો જાજરમાન જલસો ભવ્ય સફળતા સાથે કર્ણાવતી યુનિવર્સિટી ખાતે ઉજવાયો

Ahmedabad Samay

મહાકુંભમાં મૌની અમાવસ્‍યા પર સ્નાન માટે ભીડ વધી જવાથી ભાગદોડ મચી, ૨૦ જેટલા મૃત્યુ પામ્યા ૫૦ જેટલા શ્રધ્ધાળુઓ ઘવાયા

Ahmedabad Samay

મંગળ મજબૂત લાભ આપશે, આર્થિક સ્થિતિ મજબૂત થશે; ભાઈ-બહેન સાથે થઈ શકે છે વિવાદ

Ahmedabad Samay

પોલીસ વિભાગ તરફથી જે.ડી.નાગરવાલા સ્ટેડિયમ ખાતે ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

રાજસ્થાન હોસ્પિટલ, રાજસ્થાન સ્કૂલ, ઓસ્વાલ ભવન ના ચેરમેન શ્રી પૃથ્વીરાજ (P.R) કાકરીયાજીને અયોધ્યાથી આવેલ અક્ષત અપાયા

Ahmedabad Samay

G20 સમિટમાં લંચ અને ડિનરમાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ શાકાહારી વાનગીઓનો સમાવેશ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો