June 28, 2026
Other

લોક મુખે ચર્ચાતા અમદાવાદના ભૂતિયા સ્થળ

અમદાવાદના અનેક એવા સ્થળો છે જ્યાં લોકોને કોઈ અંજાણ શક્તિનો અનુભવ થતા હોય છે. જેમના આ સ્થળો પર લોકોએ વધુ અનુભવ થયેલ છે,

સિગ્નેચર ફાર્મ

આ જગ્યાએ એવા જ લોકો આવે છે જે કઠણ કાળજાના છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં અજીબ ઘટનાઓ ઘટે છે. આ સ્થળ સામાન્ય રીતે પોતાની અસમાન્ય ઘટનાઓને લઈને વધુ ચર્ચામાં રહે છે. આ જગ્યા ત્યારે વધુ પ્રખ્યાત બની જ્યારે ત્યાં કેટલાક યુવકોનું એક ગ્રુપ સાંજે ફરવા માટે આવ્યું હતું. એવું કહેવાય છે કે અહીં કોઈ અદ્રશ્ય શક્તિએ તેમને પોતાનો ભોગ બનાવી લીધા. ત્યારબાદથી લોકો અહીં આવતા ડરે છે. લોકોનું માનવું છે કે અહીં સાંજના સમયે અજીબોગરીબ ઘટનાઓ ઘટે છે.

ચાંદખેડાનું ભૂતિયા ઝાડ

અમદાવાદના વ્યસ્ત ચાંદખેડા વિસ્તારમાં આ એક જૂનું ઝાડ છે. અહીંથી લોકોની અવરજવર થતી રહે છે. એવું કહેવાય છે કે આ ઝાડ પર ભૂતનો સાયો છે. જો કોઈ રાતના સમયે તેની આજુબાજુ ફરકે તો આત્મા તે વ્યક્તિને સપનામાં આવવા લાગે છે અને આ રીતે માણસ પાગલ થઈ જાય છે. જોવામાં પણ આ ઝાડ  ખુબ બીહામણુ છે.

બગોદરા, અમદાવાદ-રાજકોટ રોડ

બગોદરાનું નામ તો તમે સાંભળ્યું જ હશે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 47 પર આવેલું એક નાનકડું શહેર છે. તમે જ્યારે પણ અમદાવાદથી રાજકોટ જશો ત્યારે તમને આ જગ્યા જોવા મળશે. એવું કહેવાય છે કે આ હાઈવેના રસ્તા અહીં થનારી દુર્ઘટનાઓને કારણે ખતરનાક છે. જે લોકો રાતના સમયે અહીં ડ્રાઈવ કરે છે તેમનું કહેવું છે કે અહીં અજીબોગરીબ અવાજ સંભળાય છે. આ અવાજો વાહન ચાલકોનું ધ્યાન ભટકાડે છે. આ પ્રકારે અનેક દુર્ઘટનાઓ થાય છે. તેમનું કહેવું છે કે અહીં રસ્તા પર રહસ્યમયી મહિલાઓ અને ભીખારીઓ પર ધ્યાન ન આપવું.

નોંધ:આ તમામ માહિતી લોક મુખે ચર્ચાતી માહિતી આપવામાં આવેલ છે.

Related posts

“સેવ અર્થ” NGO દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ જેટલા જુદા જુદા વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદના છારાનગર લૂંટના ઇરાદે આવી હત્યા કરવાના કેસમાં બે આરોપીઓની સરદારનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

PMOના ઉચ્‍ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના કિરણ પટેલની શ્રીનગરથી ધરપકડ કરાઈ, જાણો મહાઠગની પૂર્ણ વિગત

Ahmedabad Samay

નકલી નોટોનો સૌથી મોટો કૌભાંડ,સુરતના સત્‍યમ યોગ ફાઉન્‍ડેશનની ગાડીમાં નકલી નોટોની હેરાફેરી થતી હતી

Ahmedabad Samay

મહાકુંભમાં મૌની અમાવસ્‍યા પર સ્નાન માટે ભીડ વધી જવાથી ભાગદોડ મચી, ૨૦ જેટલા મૃત્યુ પામ્યા ૫૦ જેટલા શ્રધ્ધાળુઓ ઘવાયા

Ahmedabad Samay

બેઠક રહી નિષ્ફળ,પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવા પર ક્ષત્રિય સંગઠનો અડગ રહ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો