April 16, 2026
Other

લોક મુખે ચર્ચાતા અમદાવાદના ભૂતિયા સ્થળ

અમદાવાદના અનેક એવા સ્થળો છે જ્યાં લોકોને કોઈ અંજાણ શક્તિનો અનુભવ થતા હોય છે. જેમના આ સ્થળો પર લોકોએ વધુ અનુભવ થયેલ છે,

સિગ્નેચર ફાર્મ

આ જગ્યાએ એવા જ લોકો આવે છે જે કઠણ કાળજાના છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં અજીબ ઘટનાઓ ઘટે છે. આ સ્થળ સામાન્ય રીતે પોતાની અસમાન્ય ઘટનાઓને લઈને વધુ ચર્ચામાં રહે છે. આ જગ્યા ત્યારે વધુ પ્રખ્યાત બની જ્યારે ત્યાં કેટલાક યુવકોનું એક ગ્રુપ સાંજે ફરવા માટે આવ્યું હતું. એવું કહેવાય છે કે અહીં કોઈ અદ્રશ્ય શક્તિએ તેમને પોતાનો ભોગ બનાવી લીધા. ત્યારબાદથી લોકો અહીં આવતા ડરે છે. લોકોનું માનવું છે કે અહીં સાંજના સમયે અજીબોગરીબ ઘટનાઓ ઘટે છે.

ચાંદખેડાનું ભૂતિયા ઝાડ

અમદાવાદના વ્યસ્ત ચાંદખેડા વિસ્તારમાં આ એક જૂનું ઝાડ છે. અહીંથી લોકોની અવરજવર થતી રહે છે. એવું કહેવાય છે કે આ ઝાડ પર ભૂતનો સાયો છે. જો કોઈ રાતના સમયે તેની આજુબાજુ ફરકે તો આત્મા તે વ્યક્તિને સપનામાં આવવા લાગે છે અને આ રીતે માણસ પાગલ થઈ જાય છે. જોવામાં પણ આ ઝાડ  ખુબ બીહામણુ છે.

બગોદરા, અમદાવાદ-રાજકોટ રોડ

બગોદરાનું નામ તો તમે સાંભળ્યું જ હશે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 47 પર આવેલું એક નાનકડું શહેર છે. તમે જ્યારે પણ અમદાવાદથી રાજકોટ જશો ત્યારે તમને આ જગ્યા જોવા મળશે. એવું કહેવાય છે કે આ હાઈવેના રસ્તા અહીં થનારી દુર્ઘટનાઓને કારણે ખતરનાક છે. જે લોકો રાતના સમયે અહીં ડ્રાઈવ કરે છે તેમનું કહેવું છે કે અહીં અજીબોગરીબ અવાજ સંભળાય છે. આ અવાજો વાહન ચાલકોનું ધ્યાન ભટકાડે છે. આ પ્રકારે અનેક દુર્ઘટનાઓ થાય છે. તેમનું કહેવું છે કે અહીં રસ્તા પર રહસ્યમયી મહિલાઓ અને ભીખારીઓ પર ધ્યાન ન આપવું.

નોંધ:આ તમામ માહિતી લોક મુખે ચર્ચાતી માહિતી આપવામાં આવેલ છે.

Related posts

ન્યાય અને જન કલ્યાણ અર્થે છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય કાર્યાલયનો શ્રી સી.આર.પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay

લગ્ન કે અંતિમવિધિમાં ખુલ્લી કે બંધ જગ્યામાં 50 થી વધુ લોકો એકઠા નહી થઈ શકે

Ahmedabad Samay

રિયલ હીરો અને દબંગ એટલે તરુણ બારોટ

Ahmedabad Samay

હવે નરોડામાં મધ્યમવર્ગી બાળક પણ ભણશે સ્માર્ટ સ્કૂલમાં, નરોડામાં બનશે પ્રાઇવેટ સ્કૂલને માત આપતી સ્માર્ટ સ્કૂલ

Ahmedabad Samay

ભારતીય શેરબજારમાં જોવા મળેલી ઐતિહાસિક તેજી બાદ હવે આજના ટ્રેડિંગ સત્ર પર સૌની નજર

Ahmedabad Samay

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને આડે હાથે લેધી,શુ ન્યાય વિધર્મીઓના કેસમાં મળશે ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો