અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીના જ્ઞાનવાપી સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજાની પરવાનગી પર પ્રતિબંધના મામલામાં મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી હતી. વ્યાસજી ભોંયરામાં પૂજા ચાલુ રહેશે. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેન્ચે આ નિર્ણય આપ્યો હતો.
આ કેસમાં મુસ્લિમ પક્ષે વારાણસી જિલ્લા કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આપને જણાવી દઈએ કે ૩૧ જાન્યુઆરીએ વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે હિંદુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાની પરવાનગી આપી હતી, ત્યારબાદ વારાણસી કોર્ટના આદેશને અંજુમન વ્યવસ્થા મસ્જિદ સમિતિ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો
