March 5, 2026
Other

અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસને ઓખા સ્‍ટેશન સુધી લંબાવવામાં આવી

અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસને ઓખા સ્‍ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી ૧૨મી માર્ચ, ૨૦૨૪ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે વીડિયો કોન્‍ફરન્‍સિંગ દ્વારા અમદાવાદ-જામનગર વંદે ભારત એક્‍સપ્રેસના ઓખા સુધીના વિસ્‍તરણને લીલી ઝંડી દેખાડસે.

ટ્રેન નંબર ૦૯૪૨૬ ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસની શરૂઆતની ઉદ્ધાટન ની ટ્રીપ ને ૧૨ માર્ચ, ૨૦૨૪ના રોજ દ્વારકાથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. ટ્રેન નંબર ૨૨૯૨૫ અમદાવાદ-ઓખા વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસનું નિયમિત સંચાલન ૧૩ માર્ચ, ૨૦૨૪થી શરૂ કરવામાં આવશે. આ ટ્રેન મંગળવાર સિવાય દરરોજ અમદાવાદથી ૧૮:૧૦ કલાકે ઉપડશે, દ્વારકા તે જ દિવસે ૨૩.૫૪ કલાકે પહોંચી ને ૨૩.૫૯ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૦:૪૦ કલાકે ઓખા પહોંચશે.

તેવી જ રીતે, રિટર્ન માં, ટ્રેન નંબર ૨૨૯૨૬ ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ નું નિયમિત સંચાલન ૧૪ માર્ચ, ૨૦૨૪ થી શરૂ કરવામાં આવશે. આ ટ્રેન ઓખાથી બુધવાર સિવાય દરરોજ ૦૩:૪૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૦૪.૦૫ કલાકે દ્વારકા પહોંચી ને ૦૪.૧૦ કલાકે ઉપડશે અને ૧૦:૧૦ કલાકે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્‍દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્‍ટેશને ઉભી રહેશે. ઉપરાંત, બંને દિશામાં જામનગર અને અમદાવાદ વચ્‍ચેના કોઈપણ સ્‍ટેશનના આગમન-પ્રસ્‍થાનના સમયમાં અથવા સ્‍ટોપેજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્‍ઝિકયુટિવ ચેર કાર કોચ હશે.

Related posts

રાજ્યકક્ષાનાં “ચોટીલા ઉત્સવ-૨૦૨૩” નો નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે શુભારંભ

Ahmedabad Samay

રાજકોટ લોકસભા બેઠક પરિણામ અપડેટ

Ahmedabad Samay

મીનીલોકડાઉન લંબાવા વિશે સાંજે ચર્ચા,કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ અને ટાસ્કફોર્સે ૧૫ દિવસના લોકડાઉનની ભલામણ કરી

Ahmedabad Samay

છોડમાં લાગી ગયા છે જંતુઓ, તો આ 5 ટીપ્સ અનુસરો, તરત જ નીકળીને ભાગી જશે

Ahmedabad Samay

નાણામંત્રી નિર્મલા સિતારમન સાંજે ૦૪ વાગે પેકેજ જાહેર કરશે.

Ahmedabad Samay

લગ્ન કે અંતિમવિધિમાં ખુલ્લી કે બંધ જગ્યામાં 50 થી વધુ લોકો એકઠા નહી થઈ શકે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો