May 7, 2026
Other

અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસને ઓખા સ્‍ટેશન સુધી લંબાવવામાં આવી

અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસને ઓખા સ્‍ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી ૧૨મી માર્ચ, ૨૦૨૪ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે વીડિયો કોન્‍ફરન્‍સિંગ દ્વારા અમદાવાદ-જામનગર વંદે ભારત એક્‍સપ્રેસના ઓખા સુધીના વિસ્‍તરણને લીલી ઝંડી દેખાડસે.

ટ્રેન નંબર ૦૯૪૨૬ ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસની શરૂઆતની ઉદ્ધાટન ની ટ્રીપ ને ૧૨ માર્ચ, ૨૦૨૪ના રોજ દ્વારકાથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. ટ્રેન નંબર ૨૨૯૨૫ અમદાવાદ-ઓખા વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસનું નિયમિત સંચાલન ૧૩ માર્ચ, ૨૦૨૪થી શરૂ કરવામાં આવશે. આ ટ્રેન મંગળવાર સિવાય દરરોજ અમદાવાદથી ૧૮:૧૦ કલાકે ઉપડશે, દ્વારકા તે જ દિવસે ૨૩.૫૪ કલાકે પહોંચી ને ૨૩.૫૯ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૦:૪૦ કલાકે ઓખા પહોંચશે.

તેવી જ રીતે, રિટર્ન માં, ટ્રેન નંબર ૨૨૯૨૬ ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ નું નિયમિત સંચાલન ૧૪ માર્ચ, ૨૦૨૪ થી શરૂ કરવામાં આવશે. આ ટ્રેન ઓખાથી બુધવાર સિવાય દરરોજ ૦૩:૪૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૦૪.૦૫ કલાકે દ્વારકા પહોંચી ને ૦૪.૧૦ કલાકે ઉપડશે અને ૧૦:૧૦ કલાકે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્‍દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્‍ટેશને ઉભી રહેશે. ઉપરાંત, બંને દિશામાં જામનગર અને અમદાવાદ વચ્‍ચેના કોઈપણ સ્‍ટેશનના આગમન-પ્રસ્‍થાનના સમયમાં અથવા સ્‍ટોપેજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્‍ઝિકયુટિવ ચેર કાર કોચ હશે.

Related posts

ચોકલેટ સ્વાસ્થ્ય માટે છે લાભદાયક, જાણો ચોકલેટના ફાયદા

Ahmedabad Samay

કાજલબેન હિન્દુસ્તાનીને ફસાવવા ખોટી ફરિયાદો / અરજીઓ સમક્ષ હિન્દૂ સેના કાજલ હિન્દુસ્તાની આપ્યું સમર્થન, કલેક્ટર શ્રીને આપ્યું આવેદનપત્ર

Ahmedabad Samay

અમદાવાદના અનેક વિસ્તારમાં પડ્યો કમોસમી વરસાદ,ઉમેદપુરમાં ૨ કલાકમાં ૫ ઈંચ વરસાદ ખાબકયો

Ahmedabad Samay

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં અમદાવાદના રીક્ષા ચાલકો મદદે આવ્યા સામે

Ahmedabad Samay

કવિતા ભાભી દેખાશે હવે બીગબોસમાં

Ahmedabad Samay

ઓઢવ ખાતે આવેલ સિદ્ધાર્થ આંગણવાડીમાં ૧૫મી ઓગષ્ટની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો