May 10, 2026
Other

ઉજૈન મહાકાલ મંદિરમાં મોટો અકસ્માત સર્જાયો,મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો

મહાકાલ મંદિરમાં મોટો અકસ્માત સર્જાયો છે. મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં 10 લોકો ગંભીર રીતે દાઝ્યા છે. તો બીજી તરફ સૂચના મળતાં પોલીસ અને રાહત બચાવની ટીમ આગમાં દાઝેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જોકે ટીમે સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો.

સોમવારે સવારે ઉજ્જૈનના જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગેલી આગમાં 13 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, મંદિરમાં અબીલ ગુલાલ ચઢાવતી વખતે મંદિરના ગર્ભગૃહમાં આગ લાગી હતી. આગના કારણે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી.

ઘટનાસ્થળે પહોંચેલી ટીમે તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. કલેક્ટર નીરજ સિંહ અને એસપી પ્રદીપ શર્મા પણ ઘાયલોની ખબર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા છે. ડોક્ટરોની ટીમે જણાવ્યું કે તમામ ઘાયલોની હાલત સ્થિર છે અને ખતરાની બહાર છે. ભક્તોનું કહેવું છે કે મંદિરમાં ગુલાલ ઉડાડતી વખતે અચાનક આગ ફાટી નીકળી હતી.

પૂજારી સહિત 13 લોકો ઘાયલ – કલેક્ટર

આ મામલે વધુ માહિતી આપતા જિલ્લા મેજિસ્ટ્રેટ નીરજ કુમાર સિંહે જણાવ્યું હતું કે, “ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી હતી. આ ઘટનામાં 13 લોકો ઘાયલ થયા છે.

Related posts

અબુ ધાબીના પ્રથમ હિન્‍દુ મંદિરનું વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્તે ઉદ્‍ઘાટન કર્યું

Ahmedabad Samay

નાણામંત્રી નિર્મલા સિતારમન સાંજે ૦૪ વાગે પેકેજ જાહેર કરશે.

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કોણો રહેશે સારો, જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા.૩૧ મેં થી ૦૬ જૂન નું રાશિફળ

Ahmedabad Samay

બજરંગદળ ઉતર ગુજરાત પ્રાંત દ્વારા કર્ણાવતી ઘાસિરામ ભવન શાહીબાગ ખાતે નશામુક્ત ભારત અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને આડે હાથે લેધી,શુ ન્યાય વિધર્મીઓના કેસમાં મળશે ?

Ahmedabad Samay

હિન્દૂ સેના દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લાંભા વિસ્તારમાં નોનવેજ અને અન્ય માંસના વેચાણ કરવા પર વિરોધ વ્યક્ત કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો