March 18, 2026
Other

આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય અમાનતુલ્લા ખાનની ચ્‍ઝ દ્વારા ધરપકડ કરવામાં આવી

આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય અમાનતુલ્લા ખાનની ચ્‍ઝ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વક્‍ફ બોર્ડ નિમણૂક કૌભાંડમાં પીએમએલએ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ ૯ કલાકની પૂછપરછ બાદ EDએ તેની ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુરુવારે (૧૮ એપ્રિલ) ધારાસભ્‍ય અમાનતુલ્લા ખાન પૂછપરછ માટે ED સમક્ષ હાજર થયા હતા.

વકફ બોર્ડ નિમણૂક કૌભાંડમાં ધરપકડ

આમ આદમી પાર્ટીના નેતા અને ઓખલાના ધારાસભ્‍ય અમાનતુલ્લા ખાન પર દિલ્‍હી વક્‍ફ બોર્ડના અધ્‍યક્ષ તરીકે ૩૨ લોકોની ગેરકાયદે ભરતી કરવાનો આરોપ છે. આ સાથે તેણે દિલ્‍હી વક્‍ફ બોર્ડની ઘણી મિલકતો ગેરકાયદેસર રીતે ભાડે આપી છે. એવો પણ આરોપ છે કે તેણે દિલ્‍હી વક્‍ફ બોર્ડના ફંડનો દુરુપયોગ કર્યો છે. દિલ્‍હી વક્‍ફ બોર્ડના તત્‍કાલિન સીઈઓએ આવી ગેરકાયદેસર ભરતી વિરુદ્ધ નિવેદન બહાર પાડ્‍યું હતું.

સંજય સિંહે મોદી સરકાર પર નિશાન સાધ્‍યું

આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય અમાનતુલ્લા ખાનની ધરપકડ બાદ પાર્ટીના રાજ્‍યસભા સાંસદ સંજય સિંહ અને દિલ્‍હી સરકારના મંત્રી આતિશી તેમના ઘરે જઈ રહ્યા છે. રાજ્‍યસભા સાંસદ સંજય સિંહે X પર પોસ્‍ટ કરીને લખ્‍યું, મોદી સરકાર સંપૂર્ણ રીતે ઓપરેશન લોટસમાં વ્‍યસ્‍ત છે. નકલી કેસ બનાવીને મંત્રીઓ અને ધારાસભ્‍યોની ધરપકડ કરવામાં આવી રહી છે. અમાનતુલ્લા ખાન પર પાયાવિહોણો કેસ કરવામાં આવ્‍યો હતો. હું જલ્‍દી જ તાનાશાહીનો અંત લાવવા જઈ રહ્યો છું

Related posts

નવી સોલિડ-સ્ટેટ બેટરી ટેકનોલોજીથી ઇલેક્ટ્રિક કારની દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખશે, બેટરી માત્ર પાંચ મિનિટમાં ફૂલ ચાર્જ થઈ શકશે

Ahmedabad Samay

મૌલિક શાહે હાર્દિક હુંડિયાના નેતૃત્વમાં મોદી રાજ માં હાર્દિક વ્યંગચિત્ર આયુષ્માન ભારતનું વિમોચન કર્યું

Ahmedabad Samay

હિન્દૂ સેના દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન લાંભા વિસ્તારમાં નોનવેજ અને અન્ય માંસના વેચાણ કરવા પર વિરોધ વ્યક્ત કર્યો

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પરપ્રાંતીય મુદ્દે નકારત્મક ટિપ્પણી બદલ ભાજપ અને કોંગ્રેસ ના ધારાસભ્યો ના નિવેદન નો વિરોધ કરવામાં આવ્યું

Ahmedabad Samay

સતત વધતી જતી મોંઘવારીને સરકાર નિયંત્રિત કરવામાં નિષ્‍ફળતાને કારણે મહિલાઓ માટે તેમનું ઘર ચલાવવાનું મુશ્‍કેલ બન્‍યું:જેનીબેન ઠુમર

Ahmedabad Samay

જમ્મુના રાજબાગના ઘાટી જુથાના વિસ્‍તારમાં જાખોલ ગામ નજીક સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્‍ચે એન્‍કાઉન્‍ટર થયું હતું. હુમલામાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો