ગૌરીકુંડ-કેદારનાથ પદયાત્રી માર્ગ પર રવિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. ચિરબાસા નજીક ટેકરી પરથી અચાનક જ મોટી માત્રામાં કાટમાળ અને પથ્થરો પડી ગયા. આ દરમિયાન યાત્રા પર જઈ રહેલા 6 યાત્રીઓને ઈજા થઈ હતી.
ઘણા મુસાફરો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.અકસ્માતની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
