June 27, 2026
ગુજરાત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ વધ્યા,શંકાસ્પદ કેસ વધીને 71 થયા

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ વધ્યા છે. તેમાં શંકાસ્પદ કેસ વધીને 71 થયા છે. તેમજ સૌથી વધુ 11 કેસ પંચમહાલમાં નોંધાયા છે. હાલમાં કુલ 41 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ 3 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 27 દર્દીઓના મૃત્યુ થયા છે.

ભાવનગરમાં 1, કચ્છમાં 1 કેસ, દેવભૂમિ દ્વારકામાં 1 કેસ, 1 દર્દીનું મોત થયુ છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 41 દર્દી દાખલ છે તથા 03 દર્દીઓને રજા આપેલ છે. રાજસ્થાનના 2 કેસ જેમાં 1 દર્દી દાખલ છે તેમજ 1 દર્દી મૃત્યુ પામેલ છે. તથા મધ્ય પ્રદેશનો 1 કેસ છે.આરોગ્યની ટીમ દ્વારા કુલ 17248 ઘરોમાં કુલ 12,1826 વ્યક્તિઓના સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે

અરવલ્લીમાં 4 કેસ નોંધાયા, 2ના મોત તેમજ મહીસાગરમાં 2, ખેડામાં 5 કેસ નોંધાયા છે. મહેસાણામાં 4 કેસ, 2 દર્દીઓના મોત થયા છે. તેમજ રાજકોટ 3 કેસ નોંધાયા, 2 દર્દીઓના મોત થયા છે. તેમજ અમદાવાદમાં 4 કેસ, 3 દર્દીઓના મોત થયા છે. તેમજ ગાંધીનગરમાં 7 કેસ, 1 દર્દીનું મોત થયુ છે. તેમજ પંચમહાલમાં 11 કેસ, 4 દર્દીઓના મોત થયા છે. જામનગરમાં 5 કેસ, છોટાઉદેપુરમાં 2 કેસ તેમજ મોરબીમાં 4 કેસ, 3 દર્દીઓના મોત થયા છે. દોહાદમાં 2 કેસ, 2 દર્દીઓના મોત થયા છે. તેમજ વડોદરામાં 2, નર્મદામાં 1 કેસ સામે આવ્યો છે.

Related posts

AMC દ્વારા 35 ગેમિંગ ઝોન પૈકી 1 ગેમિંગ ઝોન અને 1257 હોસ્પિટલ પૈકી 9 હોસ્પિટલ સીલ કરાયા

Ahmedabad Samay

અમદાવાદ: રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલનથી ગુજરાતના 4 યાત્રાળુઓના મોત, એક જ કારમાં હતા સવાર

Ahmedabad Samay

રાત્રે એક વાગ્યે શારીરિક સંબંધ બાંધવા બાબતે ઝગડો કરી પત્નીને કાઢી મુકતા મહિલાએ ૧૮૧ પર ફરિયાદ કરી

Ahmedabad Samay

SOG દ્વારા દુબઈથી ભારતમાં આવેલા અને નાસતા ફરતા આરોપી દિલીપ ઉર્ફે મોનું સંગતાણીની ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમમાં ધરપકડ કરી

Ahmedabad Samay

લોકડાઉન ૫.૦ માં વધુ છૂટછાટ, મોલ અને હોટેલ ખૂલી શકશે

Ahmedabad Samay

આજથી ભૂમાફીયા વિરૂદ્ધનો કાયદો અમલમાં: વિજય રૂપાણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો