May 10, 2026
ગુજરાત

સૌરાષ્ટ્રમાંથી ૪૦૦થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. અતિભારે વરસાદ મુદ્દે રાહત કમિશનરે  નિવેદન આપ્યું છે. સૌરાષ્ટ્રમાંથી ૪૦૦થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જેમાં વહીવટી તંત્ર દ્વારા ૪૫થી વધુ લોકોનું રેસ્કયૂ કરવામાં આવ્યુ છે. છેલ્લા ૨૪ કલાકમાં અતિભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે આશરે ૫૭ ગામનો સંપર્ક વિહોણા થયા છે.

તેમજ સૌરાષ્ટ્રના ૩૫૯ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. આ ઉપરાંત આશરે ૨૦૯ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યના કુલ ૧૩ ડેમ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. ભારે વરસાદના પગલે મુખ્યપ્રધાન, મુખ્ય સચિવ સહિતના અધિકારીઓની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છે. બચાવ અને રાહત સામગ્રી પહોંચાડવાના પ્રયાસ ચાલુ કરવામાં આવ્યા છે. તેમજ પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે NDRFની ટીમ તૈનાત કરવામાં આવ્યા છે.

Related posts

કેજરીવાલે મેટ્રો કોર્ટના સમન્સ પર રોક લગાવવા પર હાઈકોર્ટમાં કરેલી અરજી મામલે આજે સુનાવણી

Ahmedabad Samay

કોરોનાના સારા સમાચાર ૩૫૦થી વધુ બેડ ખાલી, કોરોના થોડો ધીમો પડ્યો

Ahmedabad Samay

રાજકોટના મુસાફરો માટે ખુશીના સમાચાર: રાજકોટ રેલ્વે સ્ટેશનનું થશે રિ-ડેવલપમેન્ટ

Ahmedabad Samay

બિલ ગેટ્‍સે ગુજરાતના મહેમાન તરીકે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

Ahmedabad Samay

આઇઆઇએમ અમદાવાદ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું વ્યાખ્યાન યોજાશે

Ahmedabad Samay

ભરૂચ શહેર અને જિલ્લામાં લાકડાંમાં કિલોએ માત્ર 1 રૂપિયાનો વધારો છતાં વેચાણ ઘટ્યું…

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો