May 2, 2026
ગુજરાત

અમદાવાદ શહેરના પોલીસ કોન્સ્ટેબલોનું અનોખું સન્માન કરવામાં આવનાર છે

અમદાવાદ શહેરના પોલીસ કોન્સ્ટેબલોનું અનોખું સન્માન કરવામાં આવનાર છે.  અમદાવાદ શહેરમાં પોલીસ કર્મચારીઓ માટે ખાસ યાદગાર રહી જાય એવું પગલું અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ભરવામાં આવવાનું છે.

જ્યારે નાના કદનો પોલીસકર્મચારી, એટલે કે નાના હોદ્દા પર ભરતી થયેલો પોલીસકર્મચારી તેના કાર્યકાળ દરમિયાન અનેક ઉતાર-ચઢાવ જુએ છે. નોકરીમાં સારી કામગારી કર્યા બાદ કોઈ કોન્સ્ટેબલને જ્યારે પ્રમોશન મળતું અને હેડ કોન્સ્ટેબલ બનતો એવા સમયે અત્યારસુધી તેઓ જાતે જ હેડ કોન્સ્ટેબલનો બેઝ લગાવી દેતા હતા અને ફરજ પર હાજર થઈ જતા હતા, પરંતુ હવે આ પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક જી.આર. બહાર પાડવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ શહેરમાં આગામી પ્રમોશન દરમિયાન પોલીસકર્મીને તેમનું પ્રમોશન ખાસ યાદગાર બને એ રીતે આયોજન કરવાનું જણાવવામાં આવ્યું છે. આગામી સમયમાં અમદાવાદ શહેરના અઢીસો પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ બનવા જઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને ૨૫૦ પોલીસ કોન્સ્ટેબલને જ્યારે પ્રમોશન મળશે, ત્યારે તેમને સિનિયર અધિકારીઓ જાતે બેઝ લગાવશે. બીજી તરફ તેમના પરિવારના સભ્યો પણ હાજર હશે. આ પ્રસંગે જ્યારે પરિવારનો સાથ હોય અને સિનિયર અધિકારી સાથે હોય તો પોલીસકર્મી માટે આ પ્રસંગ ખૂબ જ યાદગાર બની જશે.

આ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે જણાવ્યું હતું કે પોલીસ કોન્સ્ટેબલને પણ તેમનું પ્રમોશન યાદગાર રહી જાય અને તે પણ તેમના પરિવારની સાથે તેમના સભ્યો દ્વારા બેઝ લગાવવામાં આવે, એ ખૂબ મહત્ત્વની બાબત અને યાદગાર પ્રસંગ રહી જાય છે. સામાન્ય રીતે આ પોલીસ કોન્સ્ટેબલને ઘણી વખત પ્રશંસા અને તેની કામગીરી ધ્યાનમાં આવતી નથી, પરંતુ તેના આ પ્રમોશન જેવા મહત્ત્વના પ્રસંગમાં જો યાદગાર સ્થિતિ બની જાય તો તે તેના જીવનનો મહત્ત્વનો પ્રસંગ બની જશે. આ અંગે જીઆર બહાર પાડવામાં આવ્યો છે. આગામી સમયમાં અમદાવાદ શહેરના ૨૫૦ પોલીસ કોન્સ્ટેબલને પ્રમોશન મળવા જઈ રહ્યું છે, જેની ડીપીસીની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે.

Related posts

અમદાવાદના સ્પીપા ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, 2013 અન્વયે માર્ગદર્શક સેમીનારનું આયોજન

Ahmedabad Samay

૨૨ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ બપોરે૧:૩૦ કલાકે,તમામ ક્ષત્રિયો દ્વારા ક્ષત્રિય એકતા સંમેલનું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદમાં હાટકેશ્વર બ્રીજ મામલે સેશન્સ કોર્ટે આરોપીઓની જામીન અરજી ફગાવી

Ahmedabad Samay

ભાજપે વિકાસ તો કોંગ્રેસે મોંઘવારી બેકારી ગરીબી વગેરે મુદ્દા આવરી લીધા છે.

Ahmedabad Samay

AHS દ્વારા ઐતિહાસિક મનુસર તળાવની ફરતે ૧૬૦૦ દિવા પ્રગટાવવામાં આવ્યા

Ahmedabad Samay

લોકડાઉન હીરો: ગણેશ વણજારા એન્ડ ગ્રુપ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો