અમદાવાદમાં ના શાહપુર વિસ્તારમાં આવેલ રંગીલા પોલીસ સ્ટેશન પાસે પોલીસ પર પથ્થરમારો થતા ચકચાર મચી ગયુ હતુ.
શાહપુરના રાજાજીનીપોળ અને અરકિવાડ પાસે સંપૂર્ણ લોકડાઉન હોવા છતાં લોકો સાંજના સમયે મોટી સંખ્યામાં બહાર નીકળ્યા હતા લોકોના ટોળાને ઘર તરફ પરત મોકલવા માટે RAF ટિમ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યું તેવામાં એક મહિલાને માર મારતા લોકોના ટોળા એ ઉશ્કેરાઈને પોલીસ પર પથ્થરમારો કર્યો.
પથ્થર મારાની ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ટોળા પર કાબુ લેવા માટે ૦૫ ટીયર ગેસ ના સેલ છોડયા હતા,
હાલ અમદાવાદમાં કોરોના ને પગલે સ્થિતિ ગંભીર હોવા છતાં લોકો આ સ્થિતિને ગંભીર લેતા નથી અને અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન નું પાલન કરાવતી પોલીસ પર પથ્થરમારા ની ઘટના ખુબજ શરમ જનક કહેવાય.
