March 29, 2026
Other

મહાકુંભમાં મૌની અમાવસ્‍યા પર સ્નાન માટે ભીડ વધી જવાથી ભાગદોડ મચી, ૨૦ જેટલા મૃત્યુ પામ્યા ૫૦ જેટલા શ્રધ્ધાળુઓ ઘવાયા

મહાકુંભમાં મૌની અમાવસ્‍યા પર સ્નાન માટે ભીડ વધી જવાથી ભાગદોડ મચી ગઈ. મંગળવાર-બુધવારે રાત્રે લગભગ ૧.૩૦ વાગ્‍યે પ્રયાગરાજના સંગમ કિનારે જ્‍યારે મૌની અમાવસ્‍યા પર સ્નાન કરવા માટે અચાનક ભીડ વધવા લાગી. લોકો મુખ્‍ય સંગમ પર જ તાાન કરવાનો આગ્રહ રાખવા લાગ્‍યા. પછી અચાનક વધતી ભીડના દબાણને કારણે મેળામાં નાસભાગ મચી ગઈ. ચારે બાજુ ચીસો પડી રહી હતી. નાસભાગ મચી ગઈ. આમાં ૨૦ થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે. ૫૦થી વધુ ઘાયલ થયા છે. સ્‍વરૂપ રાની હોસ્‍પિટલમાં હાજર રિપોર્ટરના જણાવ્‍યા અનુસાર ૨૦ મળતદેહો પોસ્‍ટમોર્ટમ માટે લાવવામાં આવ્‍યા છે. જોકે, વહીવટીતંત્રે મળત્‍યુ કે ઘાયલોની સંખ્‍યા અંગે કોઈ માહિતી આપી ન હતી.

મહાકુંભમાં, મૌની અમાસ પર સ્નાન કરવાનું વિશેષ મહત્‍વ માનવામાં આવે છે. આના કારણે દેશના ખૂણે ખૂણેથી લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા હતા. ભાગદોડ સમયે હાજર રહેલા લોકલ-૧૮ના રિપોર્ટર રજનીશ યાદવે તેમના પ્રત્‍યક્ષદર્શીના જણાવ્‍યા મુજબ જણાવ્‍યું હતું કે, રાત્રે ૧ વાગ્‍યાની આસપાસ સંગમની આસપાસ અચાનક ભીડ વધી ગઈ હતી. મહાકુંભમાં તાાન માટે ૪૫ ઘાટ બનાવવામાં આવ્‍યા છે, પરંતુ લોકો મુખ્‍ય સંગમ પર જ તાાન કરવાનો આગ્રહ રાખવા લાગ્‍યા. જેના કારણે ભીડ એકબીજાને ધક્કો મારતા આગળ વધવા લાગી. જેના કારણે ભીડને કાબૂમાં લેવા માટે મૂકવામાં આવેલા બેરિકેડ તૂટવા લાગ્‍યા. થોડી વારમાં જ કેટલીકસ્ત્રીઓનો શ્વાસ રૂંધાવા લાગ્‍યો અને તેઓ નીચે પડવા લાગી. જેના કારણે નાસભાગ વધુ વધી ગઈ અને લોકો બૂમો પાડવા લાગ્‍યા. તે દ્રશ્‍ય ખૂબ જ ડરામણું હતું. બાદમાં કોઈક રીતે વહીવટી ટીમ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ. જેમણે પરિસ્‍થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો. ઘાયલોને ડઝનબંધ એમ્‍બ્‍યુલન્‍સની મદદથી હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા. અકસ્‍માત સ્‍થળ તાત્‍કાલિક ખાલી કરાવવામાં આવ્‍યું હતું. જ્‍યાં ભક્‍તોના ચપ્‍પલ અને સામાન વેરવિખેર પડ્‍યા હતા.

માહિતી અનુસાર, ભાગદોડ બાદ વહીવટીતંત્રે મહાકુંભની વ્‍યવસ્‍થામાં ફેરફાર કર્યા છે. મહાકુંભમાં ભીડ ડાયવર્ઝન યોજના લાગુ કરવામાં આવી છે. મેળા વિસ્‍તારમાં ભક્‍તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. તેમની ભીડ શહેરની બહાર રોકી દેવામાં આવી છે.

ભાગદોડ બાદ, વહીવટીતંત્રની વિનંતી પર, બધા ૧૩ અખાડાઓએ આજે મૌની અમાવાસ્‍યાના અમળત સ્નાને રદ કર્યું હતું. આ પછી અખાડાઓએ એક બેઠક યોજી. એવું નક્કી થયું કે અમળત તાાન ૧૦ વાગ્‍યા પછી કરવામાં આવશે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ફોન પર સી.એમ યોગી પાસેથી ઘટના વિશે પૂછપરછ કરી. હવે અધિકારીઓ હેલિકોપ્‍ટરથી મહાકુંભનું નિરીક્ષણ કરી રહ્યા છે.

સ્થળ પર હાજર પત્રકારોના જણાવ્‍યા અનુસાર, અફવાને કારણે સંગમ નોઝ પર નાસભાગ મચી ગઈ હતી. કેટલીક સ્ત્રીઓ જમીન પર પડી ગઈ અને લોકો તેમને કચડીને પસાર થઈ ગયા. અકસ્‍માત પછી, ૭૦ થી વધુ એમ્‍બ્‍યુલન્‍સ સંગમ કિનારા પર પહોંચી ગઈ. આ દ્વારા ઘાયલો અને મળતકોને હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યા.

અકસ્‍માત પછી, NSG કમાન્‍ડોએ સંગમ કાંઠે ચાર્જ સંભાળ્‍યો. સંગમ નાક વિસ્‍તારમાં સામાન્‍ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો હતો. ભીડ વધુ ન વધે તે માટે, ભક્‍તોને પ્રયાગરાજ શહેરમાં પ્રવેશવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. આ માટે શહેરની સીમાને અડીને આવેલા જિલ્લાઓમાં વહીવટીતંત્રને એલર્ટ પર રાખવામાં આવ્‍યું છે.

આજે મહાકુંભમાં મૌની અમાસ છે. વહીવટીતંત્રના જણાવ્‍યા અનુસાર, આજે મોડી રાત સુધી સંગમ સહિત ૪૪ ઘાટ પર ૮ થી ૧૦ કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર ડૂબકી લગાવે તેવી અપેક્ષા છે.

આના એક દિવસ પહેલા, એટલે કે મંગળવારે, ૫.૫ કરોડથી વધુ ભક્‍તોએ સંગમમાં ડૂબકી લગાવી હતી. સમગ્ર શહેરમાં સુરક્ષા માટે ૬૦ હજારથી વધુ સૈનિકો તૈનાત છે.

Related posts

૨૨ જાન્‍યુઆરીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના એક વર્ષને આખા દેશ ભરમાં ઉજવવામાં આવ્યું

Ahmedabad Samay

ઈશા રાજપૂતએ  રેસલિંગ ફેડરેશન કપ (સિનિયર વર્ગ) માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Ahmedabad Samay

ભાજપને ૨૨.૯૯ કરોડ અને કોંગ્રેસને ૧૩.૪૪ કરોડ મત મળ્યા

Ahmedabad Samay

ખોખરા અને CTMને જોડતા જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબ થતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો

Ahmedabad Samay

રાજ્યસભાની ચાર બેઠક માટે ભાજપ દ્વારા ફોર્મ ભરાયા, ચારે ઉમેદવાર બિનહરીફ ચૂંટાશે

Ahmedabad Samay

મહામારી માં રાહતના સમાચાર, ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો