ઓપરેશન સિંદૂર અંતર્ગત ભાજપ દ્વારા દેશભરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી જે,
અંતર્ગત આજ રોજ બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા તિરંગા યાત્રા યોજી દેશ ની સેના નું મનોબળ વધારવામાં આવશે,
આજ રોજ બાપુનગર વિસ્તારમાં ચાર રસ્તા સુંધી સાંજે ૬:૦૦ કલાકે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે,
બાપુનગર ભાજપ ના મા.ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ સાથે સ્થાનિક કાઉન્સિલર, મહિલા મોરચાની ટીમ ની મહિલાઓ, યુવા મોરચાના યુવા કાર્યકરો સહીત, ભાજપ ના અગ્રણી હોદ્દેદારો, કાર્યકરો , મહાનુભાવો, સ્થાનિક વેપારીઓ, સ્થાનિક રહીશો આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાવાના છે અને જાહેર જનતાને પણ આ તિરંગા યાત્રામાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
