June 24, 2026
Other

તમામ પ્રકારની લોન પરના વ્યાજદરમાં ઘટાડો થઇ શકે છે

નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. હવે મધ્યમ વર્ગને ભારતીય રિઝર્વ બેંક તરફથી આગામી ભેટ મળી શકે છે. RBIની મોનેટરી પોલિસી કમિટી અથવા MPCની બેઠક 5 થી 7 ફેબ્રુઆરી વચ્ચે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં મુખ્ય વ્યાજ દર રેપો રેટમાં ઘટાડો થઈ શકે છે. જો આમ થશે તો બેંકો પણ તમામ પ્રકારની લોન પરના વ્યાજદરમાં ઘટાડો કરશે.

હવે બધાની નજર આરબીઆઈ પર છે. જો RBI વ્યાજદરમાં ઘટાડો કરશે તો લોન સસ્તી થશે. જો લોન સસ્તી થશે તો મધ્યમ વર્ગ પર EMIનો બોજ ઘટશે. નિષ્ણાતો અપેક્ષા રાખી રહ્યા છે કે RBI 7 ફેબ્રુઆરીએ મુખ્ય વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લઈ શકે છે. મોંઘવારી અને જીડીપી ગ્રોથના આંકડાને જોતા આરબીઆઈ માટે આ નિર્ણય લેવો મુશ્કેલ નહીં હોય.

છેલ્લા કેટલાક મહિનામાં ફુગાવાના આંકડામાં ઘટાડો થયો છે. બીજી તરફ આર્થિક વિકાસ પણ ધીમો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં આરબીઆઈ માટે દરોમાં ઘટાડો કરવાનો આ યોગ્ય સમય છે એવું કહી શકાય.

Related posts

અખાડાઓના સંતો અને નાગા સાધુઓએ પોતપોતાના શિબિરોમાં પાછા ફરવાની તૈયારી શરૂ કરી દીધી છે. હવે છ વર્ષ પછી, તેઓ ૨૦૩૧ ના કુંભમાં ફરીથી આવશે

Ahmedabad Samay

GSRTC દ્વારા સરકારી એસટી બસમાં ડ્રાઈવર અને કંડક્ટરની જગ્યાઓ માટે મેગા ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી

Ahmedabad Samay

ગાંધીનગર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણી

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં પતિના જાણ બહાર પત્‍નીની બીજા લગ્ન કરાવતા જમાઇએ સાસુની હત્યા કરી

Ahmedabad Samay

કવિતા ભાભી દેખાશે હવે બીગબોસમાં

Ahmedabad Samay

એજ્યુકેશનલ મલ્ટીમીડિયા રિસર્ચ સેન્ટર (EMRC), ગુજરાત યુનિવર્સિટી દ્વારા “ડીઝાઈન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ડીજીટલ કન્ટેન્ટ” વિષય પર નેશનલ સેમીનાર યોજાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો