May 7, 2026
ગુજરાત

અમદાવાદ-રાજકોટ 6 લેન નેશનલ હાઈવે અંગે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટનું 98 ટકા કામ થયું પૂર્ણ

 અમદાવાદ-રાજકોટ 6 લેન નેશનલ હાઈવે અંગે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટનું 98 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. અમદાવાદ-રાજકોટ 6 લેન નેશનલ હાઈવેની કુલ લંબાઈ 197 કિલોમીટર છે, જેમાંથી પ્રથમ તબક્કામાં 193 કિલોમીટર સુધીનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.

એનો અર્થ એ છે કે 98 ટકા કામ ભૌતિક રીતે પૂર્ણ થઈ ગયું છે. મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવા માટે રાજ્ય સરકારે કુલ 100 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

અમદાવાદ-રાજકોટ 6 લેન રોડનું બાંધકામ પૂર્ણ થયા બાદ બંને શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટશે. આ રોડ પરથી કુલ મુસાફરીનો સમય ઘટીને 2.32 કલાક થવાનો અંદાજ છે. આનાથી નાગરિકોની લગભગ 30 થી 45 મિનિટની બચત થશે. આ સિવાય તેનાથી તેમના ઈંધણની પણ 10 થી 15 ટકા બચત થશે.

આ પ્રોજેક્ટનું વર્ણન કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર કુલ 38 ફ્લાયઓવર-અંડરપાસ સ્ટ્રક્ચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાંથી 34 ફ્લાયઓવર-અંડરપાસ સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ થઈ ગયું છે, હાલમાં 4 સ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે.

Related posts

ગુજરાત યુનિવર્સિટી ખાતે કન્યા છાત્રાલયમાં પ્રવેશોત્સવ, મહિલા-બાળ કલ્યાણ મંત્રીએ કંકુ-ચોખાથી વિદ્યાર્થિનીઓને આવકારી

Ahmedabad Samay

ધૈર્યરાજસિંહને આજે 16 કરોડ રૂપિયાની મદદ પૂરી થઈ, ગુજરાતના સેવાભાવીઓ ની મેહનત રંગલાવી

Ahmedabad Samay

અમદાવાદમાં સૌથી વધુ વરસાદ બોપલ, બોડકદેવ અને સરખેજમાં ખાબક્યો, હજૂ પડશે વરસાદ

Ahmedabad Samay

ઉપલેટા શહેરમાં છ દિવસ પૂર્વે બે જૂથ વચ્ચે થયેલ ફાયરિંગમાં પિતા અને બે પુત્રની થઈ ધરપકડ

Ahmedabad Samay

આંબાવાડી વિસ્તારમાં સામન્ય બાબતે ઝઘડો થતા તલવારનો ઘા મારતા ૮૮ ટાંકા આવ્યા

Ahmedabad Samay

નરોડાના મધુવન ગ્લોરીમાં સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં રાખી હોળી પ્રગટાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો