June 22, 2026
ગુજરાત

અમદાવાદ-રાજકોટ 6 લેન નેશનલ હાઈવે અંગે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટનું 98 ટકા કામ થયું પૂર્ણ

 અમદાવાદ-રાજકોટ 6 લેન નેશનલ હાઈવે અંગે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટનું 98 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. અમદાવાદ-રાજકોટ 6 લેન નેશનલ હાઈવેની કુલ લંબાઈ 197 કિલોમીટર છે, જેમાંથી પ્રથમ તબક્કામાં 193 કિલોમીટર સુધીનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.

એનો અર્થ એ છે કે 98 ટકા કામ ભૌતિક રીતે પૂર્ણ થઈ ગયું છે. મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવા માટે રાજ્ય સરકારે કુલ 100 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

અમદાવાદ-રાજકોટ 6 લેન રોડનું બાંધકામ પૂર્ણ થયા બાદ બંને શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટશે. આ રોડ પરથી કુલ મુસાફરીનો સમય ઘટીને 2.32 કલાક થવાનો અંદાજ છે. આનાથી નાગરિકોની લગભગ 30 થી 45 મિનિટની બચત થશે. આ સિવાય તેનાથી તેમના ઈંધણની પણ 10 થી 15 ટકા બચત થશે.

આ પ્રોજેક્ટનું વર્ણન કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર કુલ 38 ફ્લાયઓવર-અંડરપાસ સ્ટ્રક્ચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાંથી 34 ફ્લાયઓવર-અંડરપાસ સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ થઈ ગયું છે, હાલમાં 4 સ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે.

Related posts

સરકારી બેન્કોને ખાનગીકરણ કરવાના વિરોધમાં બેંક કર્મીઓ દ્વારા બીજા દિવસે પણ વિરોધ કરાયો

Ahmedabad Samay

કોરોના વકરતા નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ-વર્લ્ડ કપની ફાઈનલ તેમજ ભારત પાકિસ્તાનની હાઈવોલ્ટેજ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાય તેવી શક્યતા

Ahmedabad Samay

અમદાવાદ:દશામની મૂર્તિ વિસર્જન કરવા જતાં  પાણીમાં ડૂબી જતાં 3 લોકોના દુઃખદ મૃત્યુ થયાં

Ahmedabad Samay

ખેડૂતો તો ઠીક, મિનિસ્ટર્સ પણ શું ખાશો? A.C. ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ એકવાર મુલાકાત લો… મોડાસાના વણિયાદમાં મુસીબતનું માવઠું

Ahmedabad Samay

અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનું સ્થળ અચાનક બદલાયું, પોલીસ સમક્ષ આયોજકો ઝૂક્યા! જાણો શું થયું?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો