March 29, 2026
ગુજરાત

અંબાલાલ પટેલે પણ તોફાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ૨૨ એપ્રિલ બાદ ગરમીમાં વધારો થશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે,  રાજ્યમાં કેટલાક જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં AQI લગભગ 270 ને પાર જવાની શક્યતા છે. તેમાં મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, કપડવંજ, તારાપુર, પેટલાદ વગેરે ભાગમાં પણ ધૂળની ડમરીઓ ઉડશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના રાધનપુર, પાટણના કેટલાક ભાગો વિરમગામના વિસ્તાર, કડી અને બેચરાજી, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગ્રધ્રા, ધંધુકા લખતર આ બધા ભાગોમાં આવતીકાલે બપોર પછી ધૂળની ડમરીઓ ઉડશે.

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આ ગરમીમાં આગામી સમયમાં ઘટાડો જોવા મળશે. એપ્રિલમાં ગરમી વધવી જોઈએ, પરંતુ તેના બદલે ગરમીમાં ઘટાડો થવાની સંભાવના છે. તારીખ 22 બાદ ગરમીમાં વધારો થવાની શક્યતા છે. તારીખ 26 બાદ પણ રાજ્યમાં ભાગોમાં ગરમી વધશે. આ દિવસોમાં રાજ્યના અમુક ભાગોમાં 40 ડિગ્રીથી ઉપર પારો જઈ શકે છે.

આ વર્ષે મે મહિનામાં પણ ધૂળિયું વાતાવરણ જોવા મળશે. જ્યાં સુધી કમોસમી વરસાદ ન થાય ત્યા સુધી ધૂળકટ બેસશે નહીં. મે મહિનાની શરૂઆતમાં પણ ધૂળકટ રહેશે. પવનનું જોર ઘણું રહેશે. કચ્છના ભાગોમાં પણ પવનની ગતિ 45 કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે. રાજ્યના ભાગોમાં પણ 25થી 40 કિમી પ્રતિ કલાક પવનની ગતિ રહી શકે છે. આ વખતે પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે. ચોમાસા પૂર્વે પણ સખત પવનના તોફાનો રહેવાની શક્યતા છે

Related posts

આજ થી નહેરુ બ્રિજ શરૂ, ટ્રાફિક માંથી મુક્તિ

Ahmedabad Samay

સવારથી લોકો ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન જોવા મળી

Ahmedabad Samay

એક તરફ જીગ્નેશ મેવાણી દારૂ બંધી પર આંદોલ ચલાવે ત્યારે સરકાર બીજી તરફ રાજય સરકાર દારૂબંધી હળવી કરવા રાજય સરકારની ત્રણ દિવસની ચિંતન શિબિર યોજી રહ્યા છે

Ahmedabad Samay

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે

Ahmedabad Samay

ગતરોજ ક્રાઈમ બ્રાંચ, વડોદરા ખાતે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા પોલીસ જવાનો સાથે રક્ષાબંધન ઉજવી

Ahmedabad Samay

ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ ચાંપાનેર સોસાયટી ખાતેનું સાંઈ ગણેશ મિત્ર મંડળ દ્વારા ખાટુશ્યામની થીમ પર ગણેશમોહત્સવનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો