May 9, 2026
ગુજરાત

આખરે અમદાવાદનો ભ્રષ્ટાચારી બ્રિજ હાટકેશ્વર બ્રિજને તોડવાની મૂહર્ત આવ્યું છે. હાટકેશ્વર બ્રિજને તોડવાનું કામ શરુ કરાયું

આખરે અમદાવાદનો ભ્રષ્ટાચારી બ્રિજ હાટકેશ્વર બ્રિજને તોડવાની મૂહર્ત આવ્યું છે. હાટકેશ્વર બ્રિજને તોડવાનું કામ શરુ કરાયું છે.

હાટકેશ્વર બ્રિજને છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ તરીકેનું નામ અપાયું હતું પણ તંત્રના ભ્રષ્ટાચારના કારણે આખરે આ બ્રિજ તોડવાનો નિર્ણય લેવાયો હતો. ભ્રષ્ટાચારી કામગિરી કરવાના કારણે બ્રિજનું બાંધકામ નબળુ હોવાનું બહાર આવ્યું હતું જેથી બ્રિજને બંધ કરી દેવાયો હતો.

અમદાવાદના હાટકેશ્વર બ્રિજને લઇ મોટા સમાચાર આવી રહ્યા છે. આખરે હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી શરૃ કરાઇ છે. સવારથી જ જેસીબી મશીનો દ્વારા બ્રિજને તોડી પાડવાની કામગિરી કરાઇ રહી છે. બ્રિજને તોડવાનું શરુ કરાતા સ્થાનિક રહિશો પણ સ્થળ પર એકત્રીત થઇ ગયા હતા

અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનો મોટો પુરાવો છે અને તેના કારણે બ્રિજનું બાંધકામ હલકી કક્ષાનું હતું અને નબળું હતું જે લોકો માટે જોખમી પણ હતું. જેને પકોંગ્રેસ પૂર્વ કાઉન્સિલર જ્યોર્જ ડાયસગલે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર શ્રી જ્યોર્જ ડાયસ દ્વારા સતત આ બ્રિજના ભ્રષ્ટાચાર અને તેને જન હિત માટે જનતાની સુરક્ષા માટે બ્રિજ તોડવાની સરકારશ્રી ને રજૂઆતો કરતા અને કોર્ટમાં ન્યાય માટે સતત લડત આપી હતી જેને પગલે તેમની મેહનત રંગ લાવી છે અને આખરે લગભગ ૪૨ કરોડના ખર્ચે નિર્માણ કરાયું ભ્રષ્ટાચારી બ્રિજ તોડવાનું કામ હાથે ધરાયુ છે,

ઉલ્લેખનિય છે કે હાટકેશ્વર બ્રિજને ૨૦૧૫માં બનાવાનું કામ શરુ કરાયું હતું અને ૨૦૧૭માં પુલની કામગિરી પૂર્ણ થઇ હતી. જો કે ત્યારબાદ બ્રિજના બાંધકામ વિશે અનેક સવાલો ઉઠ્યા હતા અને તેથી કોર્પોરેશન દ્વારા અલગ અલગ એજન્સીઓ પાસેથી બ્રિજની ચકાસણી કરાઇ હતી. બ્રિજની ચકાસણીમાં પણ આ બ્રિજ હલકી કક્ષાનો અને તેનું બાંધકામ યોગ્ય રીતે ના થયું હોવાનું બહાર આવ્યું હતું

Related posts

વિપક્ષી નેતા દિનેશ શર્માએ પક્ષમાંથી આપ્યું રાજીનામુ, શુ હવે દિનેશ શર્મા થામશે ભાજપનો હાથ ?

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા અને ગુજરાત એક્સ પેરામિલિટરી અસોસિએશન સંસ્થા દ્વારા પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

રાજ્યમાં ઓક્સિજનની અછત છે તેવામાં નાગલધામ દ્વારા વિનામૂલ્યે ઓક્સિજન રિફિલ કરી આપવામાં આવે છે

Ahmedabad Samay

સુરત- બેફામ સ્પીડમાં ચલાવતા વાહન ચાલકોની ખેર નહી! સુરત પોલીસ એક કિમી દૂર સ્પીડ ગનથી પકડી પાડશે, થશે દંડ

Ahmedabad Samay

મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી સેન્ટર પહોંચીને જૂનાગઢની વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો

Ahmedabad Samay

શ્રી મહેશસિંહ કુશવાહને જન્મદિનની હાર્દિક શુભેચ્છા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો