ખૈલેયાઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે,
જેના કારણે 27 અને 28 ઓગસ્ટના રોજ વાતાવરણમાં પલટો આવી શકે છે. આ ઉપરાંત, સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને અરવલ્લી, સાબરકાંઠા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં 4 થી 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડી શકે છે, જે નવરાત્રીની મજાને ખરાબ કરી શકે છે.
