અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ફરી મુલાકાતીઓ માટે બંધ કરાયો છે. જેમાં સાબરમતી નદીનો વોક વે પાણીમાં ગરકાવ થયો છે. તેમજ સાબરમતી નદીનું લેવલ 127 ફૂટ પર પહોંચ્યું છે. વાસણા બેરેજના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાંથી 90 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. સાબરમતી નદીમાં 84 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તથા વાસણા બેરેજના 3થી 29 નંબરના ગેટ ખોલવામાં આવ્યા છે.
અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં પાણી જ પાણી છે. જેમાં હાટકેશ્વર વિસ્તારના રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર ઘૂટણસમા પાણી ભરાયા છે .વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. તેમજ અમદાવાદના મણિનગર જવાહર ચોક રોડ પર પાણી ભરાયું છે. તેમજ સમગ્ર અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે.
