June 24, 2026
ગુજરાત

રાજકોટ હોમગાર્ડ જવાનોને માઠા સમાચાર, ૫૦૦થી વધુ હોમગાર્ડ જવાનોને છૂટા કરાયા

રાજકોટથી હોમગાર્ડ જવાનોને માઠા સમાચાર આવી રહ્યા છે. રાજકોટમાં હોમગાર્ડ જવાનોને છૂટા કરાવાનો આદેશ થતા ખળભળાટ મચી ગયો છે. ૫૦૦થી વધુ હોમગાર્ડ જવાનોને છૂટા કરાયા છે.મળેલી માહિતી પ્રમાણે બંદોબસ્તમાં પૂરતી સંખ્યા ન થતા રાજકોટ હોમગાર્ડ કમાન્ડરે આ નિર્ણય લીધો હતો. રોજમદાર તરીકે કામ કરતા હોમગાર્ડ હવે બેરોજગાર બની ગયા છે.

માહિતી મુજબ સુરત બંદોબસ્ત ખાતે સંખ્યા ન થતા હોમગાર્ડ કમાન્ડરે આ નિર્ણય લીધો છે. અને તેના પગલે રોજમદાર તરીકે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો પર અચાનક આફત આવી પડી છે. કલમ ૪(૧) મુજબ બંદોબસ્તમાં સંખ્યા ન થતા આ લેવાયો નિર્ણય છે.

હોમગાર્ડને કેટલા સમય માટે છૂટા કરાયા છે તે મામલે હજું કોઇ સ્પષ્ટતા થઇ નથી. સામાન્ય રીતે આ હોમગાર્ડ્સ રાત્રી ફરજ બજાવતા હતા અને તેમને છૂટા કરાતા તે બેરોજગાર બન્યા છે. અન્ય જિલ્લામાં હોમગાર્ડની માંગણી કરવામાં આવતી હતી જે હોમગાર્ડની સંખ્યા પૂર્ણ થતા ન હોવાથી ૫૦૦ જેટલા હોમગાર્ડને છૂટા કરવામાં આવ્યા હોવાનું હોમગાર્ડના જીલ્લા કમાન્ડન્ટ કે.બી. કાનાણીએ જણાવ્યું હતું.

Related posts

વીરોને વંદન, માટીને નમન – અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં થશે શહીદ વનનું નિર્માણ

Ahmedabad Samay

અમદાવાદ – કોર્ટમાં આજે બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના કેસ મામલે સુનાવણી

Ahmedabad Samay

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું

Ahmedabad Samay

અમદાવાદમાં શાહીબાગમાં રહેતી 15 વર્ષીય સગીરા પર થયો સામુહિક બળાત્કાર

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા મકરસંક્રાંતિના પવિત્ર અવસર પર પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે હનુમાન ચાલીસા વગાડવા જનતાને અપીલ કરાઇ

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસ BRTS કોરિડોરમાં ચુસ્ત બતાવવા કરતા જાહેર માર્ગ પર ધ્યાન આપે તો BRTS કોરિડોરમાં જવાની જરૂર ન પડે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો