June 10, 2026
ધર્મ

અયોધ્યામાં દીપોત્સવ ૨૦૨૫ ની ૯ મી આવૃત્તિ ફરી એકવાર ઇતિહાસ રચવા માટે તૈયાર

મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં દરવર્ષે દિવાળીની ઉજવણી ખાસ આકર્ષણ બની રહી છે. ત્યારે દીપોત્સવ ૨૦૨૫ ની ૯મી આવૃત્તિ ફરી એકવાર ઇતિહાસ રચવા માટે તૈયાર છે. પ્રભુ શ્રીરામના આગમનની ખુશીમાં રામ કી પૈડી સહિત 56 જેટલા ઘાટો પર એકસાથે 26 લાખ 11 હજાર 101 દિવડાઓ પ્રગટાવવામાં આવશે.

સરયૂ કિનારે 2100 વેદાચાર્યો દ્વારા મહાઆરતી અને મંત્રોચ્ચારથી અયોધ્યા એક અલગ જ ઉર્જાનો સંચાર કરશે. આવતીકાલે દિવાળીના તહેવાર પહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે.

પ્રવાસન અને સંસ્કૃતિ પ્રધાન જયવીર સિંહે જણાવ્યું હતું કે જ્યારે 2017 માં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની પ્રેરણાથી આ ઉજવણીની પહેલી વાર શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે અયોધ્યામાં આશરે 1.71 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.

આ દીપોત્સવ અયોધ્યામાં 26 લાખથી વધુ દીવા પ્રગટાવીને વિશ્વ વિક્રમ સ્થાપવા માટે તૈયાર છે. દીપોત્સવની પહેલી આવૃત્તિથી નવમી આવૃત્તિ સુધી દીવાઓની સંખ્યામાં લગભગ 15 ગણો વધારો થયો છે.

Related posts

અમરનાથ યાત્રાની પહેલી પૂજા આજે પવિત્ર ગુફા સ્થળે પૂર્ણિમાના દિવશે થશે

Ahmedabad Samay

પ્રેમમાં નિષ્ફળ જાય છે આ મૂળાંકના લોકો, બે લગ્નનો બને છે યોગ

Ahmedabad Samay

17 દિવસ પછી આ રાશિનો લકી સિતારો ચમકશે, મંગળ આપશે બમ્પર પૈસા!

Ahmedabad Samay

અયોધ્‍યાના રામ મંદિરમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ધ્વજ ફરકાવ્યો, પ્રભુ શ્રી રામનો ધ્વજ આપના અમદાવાદમાં થયો તૈયાર

Ahmedabad Samay

હિન્દૂ ધર્મ સંસ્કારોમાંથી એક મહત્ત્વપૂર્ણ વિધિ એટલે હલ્દી સમારોહ. તમે જાણો છે શું છે તેનું મહત્વ ??

Ahmedabad Samay

સોના-ચાંદીથી લઈને ખોવાયેલી દરેક વસ્તુ મિનિટોમાં મળી જશે, બસ કરો આ ઉપાય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો