June 24, 2026
ધર્મ

અયોધ્યામાં દીપોત્સવ ૨૦૨૫ ની ૯ મી આવૃત્તિ ફરી એકવાર ઇતિહાસ રચવા માટે તૈયાર

મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં દરવર્ષે દિવાળીની ઉજવણી ખાસ આકર્ષણ બની રહી છે. ત્યારે દીપોત્સવ ૨૦૨૫ ની ૯મી આવૃત્તિ ફરી એકવાર ઇતિહાસ રચવા માટે તૈયાર છે. પ્રભુ શ્રીરામના આગમનની ખુશીમાં રામ કી પૈડી સહિત 56 જેટલા ઘાટો પર એકસાથે 26 લાખ 11 હજાર 101 દિવડાઓ પ્રગટાવવામાં આવશે.

સરયૂ કિનારે 2100 વેદાચાર્યો દ્વારા મહાઆરતી અને મંત્રોચ્ચારથી અયોધ્યા એક અલગ જ ઉર્જાનો સંચાર કરશે. આવતીકાલે દિવાળીના તહેવાર પહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે.

પ્રવાસન અને સંસ્કૃતિ પ્રધાન જયવીર સિંહે જણાવ્યું હતું કે જ્યારે 2017 માં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની પ્રેરણાથી આ ઉજવણીની પહેલી વાર શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે અયોધ્યામાં આશરે 1.71 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.

આ દીપોત્સવ અયોધ્યામાં 26 લાખથી વધુ દીવા પ્રગટાવીને વિશ્વ વિક્રમ સ્થાપવા માટે તૈયાર છે. દીપોત્સવની પહેલી આવૃત્તિથી નવમી આવૃત્તિ સુધી દીવાઓની સંખ્યામાં લગભગ 15 ગણો વધારો થયો છે.

Related posts

ટૂંક સમયમાં ચમકશે આ લોકોનું નસીબ, 1 વર્ષ પછી સૂર્યનો વૃષભ રાશિમાં પ્રવેશ અપાર ધન આપશે!

Ahmedabad Samay

ભારતીય પુરાતત્‍વ અનુસાર મુગલ શાસક ઔરંગઝેબે સંકુલમાં મસ્‍જિદ માટે એક હિન્‍દુ મંદિર તોડી પાડ્‍યું

Ahmedabad Samay

PM મોદી સોમનાથ સ્‍વાભિમાન પર્વ-એક અતૂટ આસ્‍થાના ૧૦૦૦ વર્ષ’ની ઉજવણી કરવા આવ્યા ગુજરાતના પ્રવાશે

Ahmedabad Samay

શાહીબાગ ખાતે ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો,૧૧૦૦૦ જેટલા ધર્મ રક્ષકોએ લીધી દીક્ષા

Ahmedabad Samay

Horoscope Today:કેવો રહેશે તમારા માટે મહિનાનો પહેલો દિવસ, જાણો રાશિ પ્રમાણે

Ahmedabad Samay

અધિક માસની પદ્મિની એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત અને મહત્ત્વ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો