May 8, 2026
દેશ

બોલિવૂડના જાણીતા અને લોકપ્રિય કોમેડિયન અભિનેતા અસરાનીનું લાંબી બીમારી બાદ ૮૪ વર્ષની વયે નિધન

દિવાળીના પાવન અવસર પર મનોરંજન જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના જાણીતા અને લોકપ્રિય અભિનેતા અસરાની (Asrani) નું લાંબી બીમારી બાદ ૮૪ વર્ષની વયે નિધન થયું છે.

ફેફસાંની સમસ્યાને કારણે હતા હોસ્પિટલમાં:
અહેવાલ મુજબ, અભિનેતા અસરાની છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા અને મુંબઈની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, તેઓ છેલ્લા ૫ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા અને ફેફસાં સંબંધિત સમસ્યાઓથી પીડિત હતા. આજે સોમવારે સાંજે ૪ વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

અભિનેતા-નિર્દેશક ગોવર્ધન અસરાની, જેઓ ‘અસરાની’ તરીકે જાણીતા હતા, તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના પરિવારજનો અને મિત્રો એકઠા થયા હતા.

Related posts

મંગળવારના રોજ જ્યારે શેર બજાર ખુલશે ત્યારે આ કંપનીઓના શેરના ભાવમાં મોટી હિલચાલ જોવા મળી શકશે

Ahmedabad Samay

મોતીલાલ ઓશવાલ બ્રોકરેજ હાઉસે 9 એવા શેરોની યાદી જાહેર કરી છે જે આગામી સમયમાં રોકાણકારોને માલામાલ કરી શકે છે

Ahmedabad Samay

ક્‍વિક પેમેન્‍ટ UPI ક્ષેત્રે ભારતે ડંકો વગાડ્‍યો છે અને તે વિશ્વના અન્‍ય દેશોની તુલનાએ સૌથી મોખરે રહ્યું

Ahmedabad Samay

૧૦ થી ૧૨ પ્રશ્નો અંગે બી.એસ.એન.એલ. કર્મચારીઓએ હડતાલ પર

Ahmedabad Samay

અભિનેતા તેજા સજ્‍જાની ફિલ્‍મ ‘હનુમાન’એ દુનિયાભરમાં ખૂબ ચાહના મેળવી

Ahmedabad Samay

પેરિસના ગોરી મેમનું આવ્યું ભારતીય યુવક પર દિલ , ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કર્યા લગ્ન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો