May 1, 2026
રાજકારણ

અમિતશાહે રાહુલ ગાંધીના સેનાના જવાનોની જાતિ અને ધર્મ જાણવાના નિવેદન પર આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમને આ વાત કહેતા શરમ આવવી જોઈએ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગુરુવારે બિહારમાં ચૂંટણી રેલીઓ સંબોધી હતી, જ્યાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યા હતા. શાહે રાહુલ ગાંધીના સેનાના જવાનોની જાતિ અને ધર્મ જાણવાના નિવેદન પર આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમને આ વાત કહેતા શરમ આવવી જોઈએ.

અમિતભાઈ શાહે મધુબની, પશ્ચિમ ચંપારણ અને મોતિહારીમાં રૅલીઓને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે બિહારની ચૂંટણીને ‘ઘૂસણખોરોથી મુક્તિનું અભિયાન’ ગણાવ્યું. શાહે કહ્યું કે અવૈધ બાંગ્લાદેશી ઘૂસણખોરો દેશ માટે સુરક્ષાનો ખતરો છે અને તેઓ બિહાર તેમજ દેશના લોકોની નોકરીઓ છીનવી રહ્યા છે.

સુરક્ષા અને રોજગાર: શાહે ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા અને યુવાનોના રોજગારના મુદ્દાને અવૈધ ઘૂસણખોરીથી અલગ કરી શકાય નહીં. તેમણે રાહુલ ગાંધીના નિવેદનને રાષ્ટ્રીય સુરક્ષાના ગંભીર મામલામાં રાજનીતિ સાથે જોડવાનો પ્રયાસ ગણાવ્યો. આ નિવેદનોથી બિહારના ચૂંટણી પ્રચારમાં ગરમાવો વધી ગયો છે

Related posts

મેંદરડા ગ્રામ પંચાયત કચેરી ખાતે સાધારણ સભા નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

મહારાષ્ટ્ર ચૂંટણી માટે શનિવારે સવારે ૭ વાગ્‍યાથી મતગણતરી શરૂ થશે

Ahmedabad Samay

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ટૂંક સમયમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવી શકે છે

Ahmedabad Samay

નવજોત સિધ્ધુએ પંજાબ પ્રદેશ અધ્યક્ષના પદ પરથી તાત્કાલીક રાજીનામુ આપ્યુ

Ahmedabad Samay

પટેલ સરકારમાં ૧૨ જેટલાં નવા ચહેરાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે

Ahmedabad Samay

પ્રદીપસિંહ જાડેજાના હસ્તે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો