ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ સિંહ કુશવાહજી ના જન્મદિવસ ના ઉપલક્ષ્ય માં વસ્ત્રાલ વોર્ડ અને વટવા વિધાનસભાના યુવા આગેવાન શ્રી કુલદીપ રાજપૂત તેમજ શ્રી સુશીલ રાજપૂત ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સેવાના શ્રેષ્ઠ ઉદ્દેશથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
રક્તદાન શિબિરમાં ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુર, પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશસિંહ કુશવાહ , શહેરાધ્યક્ષ શ્રી વિનય મિશ્રા ,સમાજના વિવિધ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ રક્તદાન કર્યું હતું.
રક્તદાન શિબિરમાં 72 unit રક્તદાન કરાયું હતું. ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુર દ્વારા શ્રી કુલદીપ રાજપૂતની સારી કામગીરીને વીરદાવતા એમને શહેરની યુવા ટીમમાં યુવા મહામંત્રી તરીકે મૂકવાનો પ્રદેશ અધ્યક્ષ સમક્ષ પોતાનો પ્રસ્તાવ મુકાયો હતો.
