અમદાવાદ ના મેઘાણીનગર ની બેંક ઓફ બરોડાના ગ્રાહકોને ચૂંટણીના કારણે મુશ્કેલી પડી રહી છે,
છે ને વિચારવા જેવી વાત ઇલેક્શન હોવાથી બેંક ને શુ ફરક પડે, ચૂંટણીમાં બેંક કર્મચારીઓ ઓ નો ઉપયોગ કરવાના કારણે મેઘાણીનગરની બેંક ઓફ બરોડા બ્રાન્ચનો કાર્યના સમયમાં ફેરબદલ કરી ને બપોરના ૦૧:૦૦ થી ૦૪:૦૦ રખાયો છે.

જેના કારણકે નોકરિયાત વર્ગ મુશ્કેલી પડી રહી છે કારણકે ૧૦:૦૦ વાગ્યાના સમયમાં નોકરીએ થોડું મોડું પહોંચીને પણ કામ કરી શકતા હતા પરંતુ ચૂંટણીના કારણે ૦૧:૦૦ વાગ્યાના સમયના કારણે નોકરીમાં રજા પાડવી પડે કાતો અધડો દિવસ રજા લેવી પડે, ચૂંટણી હોવાના કારણે સરકારી બેંકોના કર્મચારીઓ ને બેંકના સાથે સાથે સરકારના ઇલેક્શનમાં પણ ફરજ બજાવી પડશે જેને પગલે તેવોને ઇલેક્શનની અલગથી ટ્રેનિંગ લેવી પડતી હોય છે અને ટ્રેનગીના કારણે બેંકનો સમય બદલી ૦૧:૦૦ વાગ્યા થી ૦૪:૦૦ સુધી કરવામાં આવ્યું છે.
ઇલેક્શન આવતા સરકારી બેંકો અને સ્કૂલોના કર્મચારીઓ ને એવું લાગે છે કે તેવો બેંકમાં કે સ્કૂલમાં નહિ ઇલેક્શન કમિશનમાં નોકરી કરી રહ્યા છે, સરકારના આવા વલણના કારણે બેંક કર્મચારી અને સ્કૂલના કર્મચારીઓ માનસિક તણાવ પણ અનુભવ કરતા હોય છે, સરકારે પોતાની આ મનમાની બંધ કરવી જોઈએ 
