દિલ્હીમાં કોરોના વિકરાળ સ્વરૂપ લેતો જઈ રહ્યો છે. રાજ્યમાં વધતાં જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખતાં અરવિંદ કેજરીવાલ સરકાર દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉનની જાહેરાત કરી શકે છે. આ વાતની જાહેરાત સીએમ અરવિંદ કેજરીવાલ કરી શકે છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દિલ્હીમાં કોરોનાના લીધે બગડતી સ્થિતિ અને સંભવિત લોકડાઉન લગાવવાને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા સતત ઝડપથી વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દિલ્હીમાં કોવિડ 19ના અત્યાર સુધી કુલ 34 હજારથી કેસ નોંધાયા છે. મોતનો આંકડો વધીને 1085 થઇ ગયો છે.
