February 5, 2026
ગુજરાતરાજકારણ

જીગ્નેશ મેવાણીને હજુ હવે ખબર પડી કે ગુજરાતમાં દારૂના અડ્ડા ચાલે છે, આંદોલથી દારૂ બંધ થશે કે બંધ બારણે વહીવટ ?

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ દારૂ અને ડ્રગ્સના વિરોધમાં જે આંદોલન ચલાવ્યું છે તે બંને પાર્ટી મળીને બંધ કરાવશે કે સરકાર સાથે બંધ બારણે સેટિંગમાં બેસસે, જો આંદોલન ચાલુ રહ્યું અને ગુજરાતમાં દારૂ બંધ થયું તો સાચો જનતાનો નેતા અને જો ન થયું અને બંધ બારણે સેટિંગ બેસી તો પાક્કો રાજકીય નેતા જે પોતાની પોલિટિકલ રોટલી શેકી જનતાને ગેર માર્ગે દોર્યા,

જીગ્નેશ મેવાણી એ એવો પોલિટિકલ રમત રમી મુદ્દો ઉઠાવ્યો છે જાણે તે રાજકીય પાર્ટીમાં જોડાયા બાદ અને તેના પહેલા તેમને ગુજરાતના દારૂના અડ્ડાઓ વિશે માહિતિજ નહતી અને અચાનકજ દારૂના અડ્ડાઓ ચાલુ થયા હોય,

તેમનાજ વિધાનસભા ક્ષેત્રમાં કેટલાય દારૂના અડ્ડા આના પહેલા ચાલતા હતા તો હમણાજ કેમ તેમને દારૂના અડ્ડા દેખાયા, પહેલીવાર જ્યાંરે MLA બન્યા ત્યારથી દારૂ બંધી કરવા પાછળ કેમ ના લાગી ગયા ? શું તેવો કોઈ શુભ મુહૂર્ત નો રાહ જોઈ રહ્યા, કે પછી કોઈ તેમની પાસે ફરિયાદ કરે પછી મુદ્દો ઉઠાવુ,

ઘણા સમય પહેલા જ્યારે નરોડા,કૃષ્ણનગર અને ગાંધીનગર પોલીસે અમદાવાદના છારાનગરમાં ચાલતા દારૂના અડ્ડા પર કવાયત બોલાવી હતી બંધ કરાવવા માટે સખત વલણ અપનાવ્યો હતો ત્યારે આજ જીગ્નેશ મેવાણી તે દારૂના અડ્ડા ચલાવનાર ના તરફેણમાં ઉભા રહ્યા હતા અને પોલીસ અત્યાચારનો કરી રહી હતી અને આંદોલન કર્યું હતું લાગે છે છારાનગરના અડ્ડાઓ નો હપ્તો મેવાણીને પોહચતો હશે માટે તેમની તરફદારી કરવા તેમના સમર્થમાં ઉભા થયા હશે,

જીગ્નેશ મેવાણી હવે જો સાચા જનતાના નેતા હશે તો ગુજરાતમાં દારૂ બંધ થશે.

Related posts

છત્રી સાથે રાખી રમવા પડશે ગરબા,હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી

Ahmedabad Samay

૦૫ મેં એ ધૈર્યરાજસિંહને લાગી જશે ઇન્જેક્શન, લોકોની મેહનત અને પ્રાથના કામ લાગી

Ahmedabad Samay

ઠક્કરનગર વિસ્તારના શ્રી અજયસિંહ ભદોરીયા દ્વારા ૪.૪૪૦૦૦ રૂ.ના ખર્ચે પાણી ની પાઇપલાઇન નું કાર્ય હાથ ધરાયુ

Ahmedabad Samay

તપોવન ખાતે ગ્લેશિયરમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને તત્કાલ મદદ, બચાવ, રાહત  માટે પ્રબંધ કરાયું

Ahmedabad Samay

ગાંધીનગરનું ગિફટ સિટી, ભારતનું અગ્રણી ટેક હબ, એક વિશાળ મનોરંજન, છૂટક અને મનોરંજન ક્ષેત્રનું અનાવરણ કરવા માટે તૈયાર લંડન આઇ જેવું વિશાળ ચકડોળ બનશે

Ahmedabad Samay

હાર્દિક પટેલે નવા મંત્રીમંડળ મુદ્દે ભાજપ પર કટાક્ષ કર્યું, કહ્યું ભાજપના નારાજ નેતાઓ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો