March 21, 2025
ગુજરાત

અમદાવાદ: મીઠાખળીમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, મનપાની ઉતારવાની કામગીરી વખતે અચાનક પડ્યું, બે મજૂર દટાયા

અમદાવાદના મીઠાખળી ગામમાં આવેલી એક પોળમાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે. આ ઘટનામાં બે મજૂરોને ઇજાઓ થઈ છે. મનપા દ્વારા જર્જરિત મકાન તોડવાની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે અકાએક મકાન ધરાશાયી થયું હતું, જેમાં બે મજૂર દટાયા હતા. બંને મજૂરોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.

મંગળવારે સવારે મનપા દ્વારા મીઠાખળી ગામમાં 80 વર્ષ જૂનું એક જર્જરિત મકાનને ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. ત્યારે અચાનક મકાનની છત ધરાશાયી થતા આખું મકાન પડ્યું હતું. આ દુર્ઘટનામાં બે મજૂર કાટમાળમાં દટાયા હતા. જો કે, તેમણે ત્વરિત બહાર કાઢીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ મામલે હાલ મનપાની ટીમ દ્વારા કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે.

અગાઉ ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મીઠાખળી ગામમાં એક ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં 2 વર્ષની બાળકી સહિત આખો પરિવાર દટાયો હતો. જો કે, ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી સતત 30 મિનિટની શોધખોળ બાદ પરિવારના તમામ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ, આ દુર્ઘટનામાં પરિવારના એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

Related posts

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષના પ્રથમ દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં દર્શન -પૂજન કર્યા.

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

CMના હસ્તે 8.88 કરોડના ખર્ચે તૈયાર થયેલા લાલા દરવાજાના નવા એએમટીએસ બસ સ્ટેન્ડનું આજે થશે ઉદઘાટન

Ahmedabad Samay

સાણંદના વીંછિયા ખાતે સરકારી સહાય દ્વારા આત્મનિર્ભર બન્યું ‘આસ્થા સખી મંડળ’

Ahmedabad Samay

ગેરકાયદેસર હથિયાર સાથે બે શખ્સોની નરોડા પોલીસે ધરપકડ કરી.

Ahmedabad Samay

AIMIM પાર્ટીના ઓવૈસીનો અમદાવાદમાં ભવ્ય સ્વાગત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો