May 8, 2026
ગુજરાત

અમદાવાદ: મીઠાખળીમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, મનપાની ઉતારવાની કામગીરી વખતે અચાનક પડ્યું, બે મજૂર દટાયા

અમદાવાદના મીઠાખળી ગામમાં આવેલી એક પોળમાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે. આ ઘટનામાં બે મજૂરોને ઇજાઓ થઈ છે. મનપા દ્વારા જર્જરિત મકાન તોડવાની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે અકાએક મકાન ધરાશાયી થયું હતું, જેમાં બે મજૂર દટાયા હતા. બંને મજૂરોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.

મંગળવારે સવારે મનપા દ્વારા મીઠાખળી ગામમાં 80 વર્ષ જૂનું એક જર્જરિત મકાનને ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. ત્યારે અચાનક મકાનની છત ધરાશાયી થતા આખું મકાન પડ્યું હતું. આ દુર્ઘટનામાં બે મજૂર કાટમાળમાં દટાયા હતા. જો કે, તેમણે ત્વરિત બહાર કાઢીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ મામલે હાલ મનપાની ટીમ દ્વારા કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે.

અગાઉ ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મીઠાખળી ગામમાં એક ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં 2 વર્ષની બાળકી સહિત આખો પરિવાર દટાયો હતો. જો કે, ફાયરબ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી સતત 30 મિનિટની શોધખોળ બાદ પરિવારના તમામ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ, આ દુર્ઘટનામાં પરિવારના એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

Related posts

જાણો આ સપ્તાહનો રાશિ ભવિષ્યફળ જ્યોતિષ આચાર્ય શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

ગરમીમાં પક્ષીઓ ને પાણી મળી રહે તે માટે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૮૦ પાણીના કુંડા અપાય

Ahmedabad Samay

છાપરા ગ્રામપંચાયતે દારૂબંધીને લઈને અનોખો નિર્ણય કર્યો છે. ગામમાં કોઈપણ વ્યક્તિએ દારૂ ગાળવા કે દારૂ વેચવા પર પંચાયતે પ્રતિબંધ લગાવ્યો

Ahmedabad Samay

ચૂંટણી પંચે ગાંધીનગરમાં યોજાનાર ચૂંટણી મોકુફ રાખવા નિર્ણય લીધો

Ahmedabad Samay

અમદાવાદ: બ્લફ માસ્ટર કિરણ પટેલની ક્રાઇમ બ્રાંચે લીધી કસ્ટડી, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે આ દિવસે અમદાવાદ લવાશે!

admin

બારકોડ ની દુનિયામાં ઉંચી ઉડાન ભરતી કંપની એટલે “ એક્યુરેટ બારકોડ સિસ્ટમ્સ”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો