February 5, 2026
પોલીસ
ગુજરાત

પોલીસ ભરતી બોર્ડે ૧૩,૫૯૧ ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે રાજ્યના યુવાનોની આતુરતાનો અંત લાવતા પીએસઆઈ અને લોકરક્ષક દળ (એલઆરડી) સંવર્ગની કુલ ૧૩,૫૯૧ ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. લાંબા સમયથી પોલીસ ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ મોટા સમાચાર છે. ઉમેદવારો આગામી ૩ ડિસેમ્બરના રોજ બપોરે ૨ વાગ્યાથી ૨૩ ડિસેમ્બર સુધી ઓજસ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે.
ભરતી અંગેની સંપૂર્ણ વિગત
ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ મેગા ભરતી અભિયાન અંતર્ગત પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પીએસઆઈ) કેડર અને લોકરક્ષક દળ (એલઆરડી) કેડર બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કુલ જગ્યાઓ અને કેડર મુજબ વિગતો:
ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ કુલ ૧૩,૫૯૧ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેનું વર્ગીકરણ નીચે મુજબ છે:

૧. પીએસઆઈ કેડર (PSI Cadre) – કુલ ૮૫૮ જગ્યાઓ:
2.
* બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર: ૬૫૯

* હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર: ૧૨૯

* જેલર ગ્રુપ-૨: ૭૦

૨. લોકરક્ષક કેડર (Lokrakshak Cadre) – કુલ ૧૨,૭૩૩ જગ્યાઓ:
૩.
* બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: ૬૯૪૨
* હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: ૨૪૫૮
* હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસઆરપીએફ – SRPF): ૩૦૦૨
* જેલ સિપાહી (પુરુષ): ૩૦૦
* જેલ સિપાહી (મહિલા / મેટ્રન): ૩૧

અરજી ક્યારે અને કેવી રીતે કરવી?
આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
* અરજી શરૂ થવાની તારીખ: ૩/૧૨/૨૦૨૫ (બપોરે ૨:૦૦ વાગ્યાથી)
* અરજી કરવાની છેલ્લી તારીખ: ૨૩/૧૨/૨૦૨૫ (રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી)
ઉમેદવારોએ ઓનલાઇન અરજી કર્યા બાદ તેને ‘કન્ફર્મ’ કરીને પ્રિન્ટ પોતાની પાસે સાચવી રાખવાની રહેશે. ટપાલ કે રૂબરૂમાં મોકલેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
અગાઉની ભરતી અંગે ઉમેદવારોમાં અસંતોષ
એક તરફ નવી ભરતીની જાહેરાતથી ખુશીનો માહોલ છે, તો બીજી તરફ અગાઉ લેવાયેલી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં કોન્સ્ટેબલ સંવર્ગના એલઆરડી અને પીએસઆઈનું મેરીટ લિસ્ટ કે ટ્રેનિંગ અંગેની જાહેરાત કરવામાં આવી નથી. ભરતી બોર્ડની ધીમી ગતિને કારણે ઉમેદવારોમાં થોડી મૂંઝવણ અને ઉત્સાહમાં કમી પણ જોવા મળી રહી છે. જોકે, આ નવી જાહેરાતથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હજારો યુવાનોને નવી આશા મળી છે.

Related posts

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ની તૃતિય વર્ષગાંઠ હોવાથી યોજાઈ હતી બેઠક

Ahmedabad Samay

આજે વડાપ્રધાન મોદીજીના હસ્તે ૧૦:૩૦ કલાકે ભારતમાં COVID-19 રસીકરણ અભિયાનની શરૂઆત થશે.

Ahmedabad Samay

મેમ્કો પ્રેમ નગર સૈજપુર બોર્ડ ખાતે પાકિસ્તાનના ધ્વજનો બહિષ્કાર કરવામાં આવ્યો

Ahmedabad Samay

ભરૂચ પોલીસના જવાનોને રૂપીયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે: પ્રદીપસિંહ જાડેજા

Ahmedabad Samay

આગામી 5 દિવસમાં હળવા વરસાદી ઝાડપા જોવા મળશે, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ

Ahmedabad Samay

રેલવે મંત્રાલયે તેમના સત્તાવાર X એકાઉન્ટ પર વેજ મીલ (સ્ટાન્ડર્ડ કેસરોલ)ની કિંમત અને તેનું સંપૂર્ણ મેનુ શેર કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો