
અમદાવાદના ઇન્ડિયા કોલોની કમ્પાઉન્ડના કાઉન્સિલર શ્રી યશવંત યોગીની તેમની જનતાના મનમાં એકટલું આદર સત્કાર છે કે તેવો દ્વારા યશવંત યોગીજીના જન્મ દિન નિમિત્તે બર્થડે કેક કાપી ને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું, ઉજવણી દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં હજુ વિકાસની જરૂરિયાત છે કોર્પોરેશન સાથે મળીને આ વિસ્તારના લોકોને ઘણી બધી વસ્તુઓ થી વનચિત રાખવામાં આવે છે.
અહીંના વિસ્તારમાં પાણી સમસ્યા નિરંતર રહેતી કોઈ કોમન પ્લોટ ફાળવવામાં આવ્યું નથી જો કોમન પ્લોટકે જગ્યા ફાળવવામાં આવે તો પાણી ટાંકી બાંધીને અહીંની પ્રજાનું પાણી ની સમસ્યા કાયમી સમય માટે નિકાલ થઈ જશે, જન્મ દિન દિવસે તેમને જનતાને વચન આપ્યું છે કે તેવો એક વર્ષના અંદર તેમની જનતાને પાણીની સમસ્યા નો સમાધાન કરાવી આપીશ અને અહીંની જનતાને પીવાનું ચોખ્ખું પાણી અપાવી ને રહીશ
