March 17, 2026
ગુજરાત

ભાજપ અને કોંગ્રેસ ભાડા મુદ્દે લડતી રહી અને NCP ના મહામંત્રી નિકુલસિંહ તોમર એ પરપ્રાંતીઓ માટે નિઃશુલ્ક બસની સુવિધા કરી પ્રવાસીઓ ને રવાન કર્યા

પરપ્રાંતીઓ ના વતન વાપસી માટે ટ્રેન અને બસના ભાડા મુદ્દે ભાજપ અને કોંગ્રેસ રાજનીતિ કરતા રહ્યા અને NCP ના મહામંત્રી એ વિનામુલ્યે ફ્રી માં જમવાના પ્રબંધ સાથે પરપ્રાંતીય અને મજુરો ને પોતાના વતન મધ્યપ્રદેશ જવા માટે બે બસ રવાના કરીદિધી.

માર્ચ માસથી લાગુ પડેલા લોકડાઉન થી ઘણા બધા લોકો જ્યાં ત્યાં ફસાઈ ગયા છે લોકડાઉન ૩.૦ લાગુ પડ્યા બાદ કેન્દ્ર સરકાર પરપ્રાંતીય અને મજુરો ને પરત પોતાના વતન પાછા મોકલવાનું ધ્યાન આવ્યું અને તે માટે બસ અને ટ્રેન ની સુવિધા ઉપલબ્ધ કરવાની પરવાનગી આપી પરંતુ ટિકિટના પૈસા મુસાફર પાસે લેવાના નિર્ણય થી આવા સમયે રાજનીતિ એ ગરમાવો પકડ્યો ભાજપ અને કોંગ્રેસ સામ સામે આવી ગયા, કોંગ્રેસના સોનિયા ગાંધીએ એલાન તો કર્યું મુસાફરો ની ટિકિટ ના પૈસા કોંગ્રેસ આપશે પરંતુ સ્પષ્ટ ન કર્યું કે કેવીરીતે આપશે, તો રાજનીતિમાં પાછું ગરમાવો પકડાયું, તેવામાં ગુજરાત NCP ના મહામંત્રી નિકુલ સિંહ તોમરે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા કુબેરનગર માં ફસાયેલા લોકો, મજુરો અને પરપ્રાંતીયો માટે મધ્ય પ્રદેશ જવા માટે સરકાર ના ગાઈડલાઈન પ્રમાણે બે બસને સેનેટરાઈજ કરી વિનામૂલ્યે ફ્રી માં ખાણી પીણીના પ્રબંધ સાથે રવાના કરી.

નિકુલ સિંહના આ નિર્ણય ને ખરેખર વખાણવા લાયક છે ભાજપ કોંગ્રેસ ટિકિટ ના મુદ્દે રાજનીતિ ગરમાવો કરતી રહી અને NCP ના મહામંત્રી એ રાજકારણ ભૂલી પોતાની માનવતા દાખવી લોકોના દિલમાં જગ્યા બનાવી ગયા.

આટલું જ નહીં નિકુલ તોમરે લોકડાઉન ના પ્રથમ દિવસ થીજ ગરીબ લોકો માટે ખડેપગે સેવા કરે છે, લોકોમાટે બે સમય નું સ્વાદિષ્ટ જમવાનું, ફૂડ પેકેટ અને રાશન પૂરતું પાડ્યું છે.

Related posts

અરવિંદ ઉદ્યોગગૃહ દ્વારા ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રિકલ મોટરસાયકલ ( e-bike )ની બનાવટ અને ઉત્પાદન ગુજરાતમાં કરવામાં આવે છે ક્ષેત્રે નવીન ક્રાંતિ કરી,

Ahmedabad Samay

નો પાર્કિંગ ફક્ત આમ જનતા માટે

Ahmedabad Samay

મુકેશ ઋષિ જીના હાથે હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિક વ્યંગચિત્ર નું વિમોચન કરાયું

Ahmedabad Samay

અમદાવાદમાં દિલ્હીની બે ટ્રાંસજેન્ડર મહિલાઓની યુવકોને ડેટીંગ એપ પર ફસાવી લૂંટની માયાજાળ

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાથી  હાલ ચારધામની યાત્રા મુલતવી કરી દેવામાં આવી

Ahmedabad Samay

BJP સંગઠનાત્મક માળખાને વેગ આપવા માટે વિવિધ પ્રદેશ મોરચાઓના પ્રભારીઓની મહત્વની નિમણૂંક કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો