June 21, 2026
ગુજરાતદેશરાજકારણ

બુદ્ધના સંદેશ પર ચાલી દેશ મદદ કરી રહ્યો છેઃ PM મોદી

પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે લોકડાઉન બાદ પણ વર્ચ્યૂઅલ માધ્યમથી વેસાક સમારોહનું આયોજન એક અભિનવ પ્રયોગ છે. તેનાથી વધુ સારું શું હશે કે આજે આ માધ્યમથી તમામ લોકો જોડાયેલા  રહે છે. પીએમ મોદીએ કહ્યું કે સંગઠિત પ્રયાસોથી આપણે માનવતાને આ મુશ્કેલ પડકારીથી બહાર કાઢી શકીશું અને મુશ્કેલી દૂર કરી શકીશું. પીએમ મોદીએ  કહ્યું કે ભારત અકિલા આજે સંકટમાં ઘેરાયેલા વ્યકિતની સાથે પૂરી તાકાત સાથે ઊભો છે. આપણા માટે સંકટની ઘડી સહાયતા કરવા માટે છે. જેટલું શકય હોય મદદનો હાથ આગળ ધરો, બુદ્ઘના દર્શાવેલા માર્ગ પર ચાલતાં ભારત સૌની મદદ કરી  રહ્યું છે. વિશ્વના વિકાસમાં ભારત હંમેશા સહાયક રહેશે. વડાપ્રધાને  કહ્યું કે હું એ તમામ લોકોનો આભાર માનું છું જેઓએ આ કઠિન સમયમાં કામ કરી રહ્યા છે. હું આપને સલામ કરું છું. મને આશા છે કે તમે જાતને સુરક્ષિત રાખી રહ્યા છો. મને આશા છે કે આપનો પરિવાર સુરક્ષિત છે. મને આશા છે કે તમે માનવતાની સેવા કરતા રહેશો.કોરોના વાયરસના સંક્રમણના કારણે  બુદ્ઘ પૂર્ણિમાનું પર્વ લાઇટ સ્ટ્રીમિંગના માધ્યમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ પર્વ સંક્રમણથી માર્યા ગયેલા લોકોની યાદમાં અને કોરોના-૧૯ યૌદ્ઘાઓના સન્માનમાં ઉજવવામાં આવી રહ્યો છે.

સાંસ્કૃતિક મંત્રાલય, ઇન્ટરનેશનલ બુદ્ઘિસ્ટ કન્ફેડરેશન (IBC)ની સાથે મળી એક આભાસી પ્રાર્થના કાર્યક્રમ  આયોજિત કરી રહ્યું છે. તેમાં દુનિયાભરના બૌદ્ઘ સંઘના પ્રમુખ ભાગ લેશે

Related posts

અલવિદા પ્રણવ દા, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નું ૮૪ વર્ષે નિધન

Ahmedabad Samay

અરવિંદ ઉદ્યોગગૃહ દ્વારા ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રિકલ મોટરસાયકલ ( e-bike )ની બનાવટ અને ઉત્પાદન ગુજરાતમાં કરવામાં આવે છે ક્ષેત્રે નવીન ક્રાંતિ કરી,

Ahmedabad Samay

ટાઉન પ્લાનિંગના પૂર્વ ચેરમેન ગૌતમ પટેલનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રાધાસ્વામી રોડ પર સ્થાનિકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ધરતીપુત્રોના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના સંગઠન દ્વારા અમદાવાદ ની 144મી જગન્નાથ જી ની રથયાત્રા વિશે ચર્ચા કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો