March 23, 2026
ગુજરાતદેશરાજકારણ

બુદ્ધના સંદેશ પર ચાલી દેશ મદદ કરી રહ્યો છેઃ PM મોદી

પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે લોકડાઉન બાદ પણ વર્ચ્યૂઅલ માધ્યમથી વેસાક સમારોહનું આયોજન એક અભિનવ પ્રયોગ છે. તેનાથી વધુ સારું શું હશે કે આજે આ માધ્યમથી તમામ લોકો જોડાયેલા  રહે છે. પીએમ મોદીએ કહ્યું કે સંગઠિત પ્રયાસોથી આપણે માનવતાને આ મુશ્કેલ પડકારીથી બહાર કાઢી શકીશું અને મુશ્કેલી દૂર કરી શકીશું. પીએમ મોદીએ  કહ્યું કે ભારત અકિલા આજે સંકટમાં ઘેરાયેલા વ્યકિતની સાથે પૂરી તાકાત સાથે ઊભો છે. આપણા માટે સંકટની ઘડી સહાયતા કરવા માટે છે. જેટલું શકય હોય મદદનો હાથ આગળ ધરો, બુદ્ઘના દર્શાવેલા માર્ગ પર ચાલતાં ભારત સૌની મદદ કરી  રહ્યું છે. વિશ્વના વિકાસમાં ભારત હંમેશા સહાયક રહેશે. વડાપ્રધાને  કહ્યું કે હું એ તમામ લોકોનો આભાર માનું છું જેઓએ આ કઠિન સમયમાં કામ કરી રહ્યા છે. હું આપને સલામ કરું છું. મને આશા છે કે તમે જાતને સુરક્ષિત રાખી રહ્યા છો. મને આશા છે કે આપનો પરિવાર સુરક્ષિત છે. મને આશા છે કે તમે માનવતાની સેવા કરતા રહેશો.કોરોના વાયરસના સંક્રમણના કારણે  બુદ્ઘ પૂર્ણિમાનું પર્વ લાઇટ સ્ટ્રીમિંગના માધ્યમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ પર્વ સંક્રમણથી માર્યા ગયેલા લોકોની યાદમાં અને કોરોના-૧૯ યૌદ્ઘાઓના સન્માનમાં ઉજવવામાં આવી રહ્યો છે.

સાંસ્કૃતિક મંત્રાલય, ઇન્ટરનેશનલ બુદ્ઘિસ્ટ કન્ફેડરેશન (IBC)ની સાથે મળી એક આભાસી પ્રાર્થના કાર્યક્રમ  આયોજિત કરી રહ્યું છે. તેમાં દુનિયાભરના બૌદ્ઘ સંઘના પ્રમુખ ભાગ લેશે

Related posts

ગાડીઓ માટે ડાર્ક ફિલ્મનું વેચાણ કરતા વેપારીઓ સામે થશે કાર્યવાહી, પોલીસની વધુ એક મોહીમ

Ahmedabad Samay

અયોધ્યા એરપોર્ટ હવે ‘મર્યાદા પુરૂષોતમ શ્રીરામ’ એરપોર્ટ તરીકે ઓળખાશે

Ahmedabad Samay

ભરૂચમાં આગની ઘટનામાં મૃતકના પરિવારને ૪ લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે.

Ahmedabad Samay

અમદાવાદ શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી

Ahmedabad Samay

સ્વીગીનું ફરી એક વાર ખરાબ સર્વિસ માટે ચર્ચામાં કસ્ટમર ની ” ખાય પિયા કુછ નઈ ગ્લાસ તોડા બારણા ” જેવી હાલત

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં ભાજપ નેતાઓ નો જનતા દ્વારા ઉગ્ર વિરોધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો