June 22, 2026
ગુજરાત

અમદાવાદ પર આતંકવાદી હુમલા થવાની શકયતા, અમદાવાદ પોલીસ અલર્ટ

અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે બહાર પાડેલા જાહેરનામાં પ્રમાણે, શહેરમાં આતંકવાદીઓ હુમલો કરી શકે છે. બોમ્બ ગોઠવવા માટે આતંકવાદીઓ સાયકલનો ઉપયોગ કરી શકે છે. આથી શહેરમાં સાયકલ વેચાણ કરતાં વેપારીએ ખરીદનાર ગ્રાહકની વિગતો સાચવીને રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત વાહન ખરીદનારા ગ્રાહકને  ફરજિયાત બિલ આપવાનું રહેશે અને ગ્રાહકનું ઓળખ પત્રની ઝેરોક્ષ કોપી પોતાની પાસે રાખવી પડશે. આ જાહેરનામું આગામી ૬૦ દિવસ માટે અમલી રહેશે ક અને તેના ભંગ કરનાર વિરૂદ્ધ કલમ ૧૮૮ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

વધુ ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પણ પોલીસ કમિશ્નરે આતંકવાદી હુમલાની  દહેશતના પગલે એક જાહેરનામું બહાર પાડયું હતું. જેમાં શહેરના થિયેટર્સ, શોપિંગ મોલ્સ, ધર્મશાળા, ગેસ્ટ હાઉસ, જ્વેલર્સ શોપ અને આંગડિયા પેઢીમાં CCTV ગોઠવવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત CCTV ફૂટેજનું ૧૫ દિવસનું સ્પષ્ટ ડેટા સાચવી રાખવાનું પણ જણાવાયું હતું. જ્યારે હોટલ કે ધર્મશાળામાં રોકાનાર વ્યક્તિના ઓળખ પત્ર અને તેમના રોકાવાના કારણની વિગતો નોંધવા માટે પણ કહેવામાં આવ્યું હતું.

આ પહેલા  આતંકવાદીઓ લોકોની અવરજવર વધુ રહેતી હોય તેવા વિસ્તારો જેવા કે, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, પ્રવાસન સ્થળો વગેરે જગ્યાએ સાયકલ પર બોમ્બ ગોઠવીને બ્લાસ્ટ થકી પોતાના બળ ઇરાદાને અંજામ આપી ચૂક્યા છે. જેને પગલે શહેર પોલીસ અત્યારથી જ એલર્ટ થઈ ગઈ છે.

Related posts

આજ થી નહેરુ બ્રિજ શરૂ, ટ્રાફિક માંથી મુક્તિ

Ahmedabad Samay

અમદાવાદમાં ૨૦૦૮ના બોમ્‍બ બ્‍લાસ્‍ટમાં અમદાવાદ આખુ ધણધણી ઉઠયું હતું. જેનો ૧૪ વર્ષની લાંબી લડત બાદ આજે ઐતિહાસિક ચુકાદો આવ્‍યો

Ahmedabad Samay

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ૦૯ મેં ના રોજ રાત્રે ૦૯ વાગે,૦૯ દિવા પ્રગટાવી વીર મહારાણા પ્રતાપની જન્મ જ્યંતી ઉજવવા અપીલ કરી

Ahmedabad Samay

વસ્ત્રાલમાં આવેલ રઘુલીલા રેસીડેન્સી તરફથી સેના ના જવાનોનું સન્માન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમેરિકા જવાની લાલશમાં જીવ ગુમાવ્યું,મેક્સિકો-અમેરિકાની દીવાલ કુદી જતા યુવકનું થયું મૃત્યુ, પત્ની અને ત્રણ વર્ષનું બાળક વિદેશમાં રજળ્યું

Ahmedabad Samay

રાજ્યમાં આજથી ફરી એક વખત કાતિલ ઠંડીનો અનુભવ થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો