May 31, 2026
ગુજરાત

સુપ્રીમ કોર્ટનો તાજેતરનો એક ચુકાદો લૉન ગેરંટર બનનારા લોકો માટે લાલબત્તી સમાન

સામાન્‍ય રીતે આપણે મિત્રો કે સંબંધીઓની મદદ કરવા માટે લોનમાં ગેરંટર બની જતા હોઈએ છીએ, પરંતુ સુપ્રીમ કોર્ટનો તાજેતરનો એક ચુકાદો ગેરંટર બનનારા લોકો માટે લાલબત્તી સમાન છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે સ્‍પષ્ટ કર્યું છે કે, ‘ઇનસોલ્‍વન્‍સી એન્‍ડ બેન્‍કરપ્‍સી કોડ'(ibc) હેઠળ જો કોઈ લોન ડિફોલ્‍ટ થાય, તો બેન્‍ક મુખ્‍ય લેણદાર(ઉધાર લેનાર) અને કોર્પોરેટ ગેરંટર બંને સામે એકસાથે વસૂલાતની પ્રક્રિયા(CIRP) શરૂ કરી શકે છે. કોર્ટે જણાવ્‍યું કે ભારતીય કરાર અધિનિયમની કલમ ૧૨૮ મુજબ, લોન ચૂકવવાની જવાબદારી જેટલી ઉધાર લેનારની છે, તેટલી જ જવાબદારી ગેરંટરની પણ છે.

અગાઉના નિયમ મુજબ, જો એક જ લોન માટે બે ગેરંટર હોય, તો બેન્‍ક એક સમયે માત્ર એક જ વ્‍યક્‍તિ સામે કાયદાકીય કાર્યવાહી કરી શકતી હતી. આ કારણે બેન્‍કોને નાણાં વસૂલવામાં વર્ષો વીતી જતા હતા. જોકે, જસ્‍ટિસ દીપાંકર દત્તા અને જાસ્‍ટિસ ઓગસ્‍ટિન જ્‍યોર્જ મસીહની બેન્‍ચે જૂના ચુકાદાઓને રદ કરતા જણાવ્‍યું છે કે, હવે બેન્‍કો પોતાની બાકી રકમ વસૂલવા માટે લેણદાર અને તમામ ગેરંટરો સામે એક જ દિવસે કેસ દાખલ કરી શકે છે. આ નિર્ણયથી બેન્‍કો અને નાણાકીય સંસ્‍થાઓને મોટી રાહત મળી છે, જ્‍યારે લોન ગેરંટરની મુશ્‍કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ ચુકાદા બાદ હવે ગેરંટર એવું વિચારીને નિヘતિ નહીં રહી શકે કે કંપનીની હરાજીની પ્રક્રિયા ચાલી રહી છે ત્‍યાં સુધી તેમને કોઈ ખતરો નથી. જો કંપની વેચાયા પછી પણ બેન્‍કનું દેવું પૂરેપૂરું ભરપાઈ ન થાય, તો બેન્‍ક બાકીના પૈસા વસૂલવા માટે ગેરંટર અથવા પ્રમોટરોની અંગત મિલકતો જેવી કે ફિક્‍સ ડિપોઝિટ, બેન્‍ક બેલેન્‍સ, મ્‍યુચ્‍યુઅલ ફંડ કે પ્રોપર્ટી પણ જપ્ત કરી શકે છે. આમ, હવે કોઈની લોનમાં ગેરંટર બનતા પહેલા તેની આર્થિક ગંભીરતા સમજવી અત્‍યંત મહત્ત્વની બની ગઈ છે.

Related posts

કોરોના કેસ વધતા અમુક વિસ્તાર ફરી માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા

Ahmedabad Samay

હરિઓમ વિદ્યાલય ખોખરા મણિનગર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

રક્ષકજ બન્યો ભક્ષક, પોલીસના ત્રાસથી યુવકે કરી આત્મહત્યા

Ahmedabad Samay

ચંદ્રની ધૂળના મોડેલ પર આધારીત ચંદ્રની ધૂળ અને જમીનના મિશ્રણમાં ચણાનો લણી શકાય તેવો પાક ઉગાડવામાં સફળતા મેળવી

Ahmedabad Samay

અસારવાની વિશેષ વ્યક્તિત્વ દબંગ કાઉન્સિલર સુમન રાજપૂત સાથે ખાસ મુલાકાત

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લામાં આજથી ૨૭ એપ્રિલ સુધી ‘સ્વાગત સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે

admin

એક ટિપ્પણી મૂકો