March 4, 2026
અપરાધગુજરાત

છારાનગરની ફ્રી કોલોનીમાં તસ્કરોએ માત્ર લૂંટના ઈરાદે 60 વર્ષીય વૃદ્ધાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક કમકમાટીભરી ઘટના છારાનગરમાં સામે આવી છે. છારાનગરની ફ્રી કોલોનીમાં તસ્કરોએ માત્ર લૂંટના ઈરાદે 60 વર્ષીય વૃદ્ધાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં સૌથી વધુ આંચકાજનક બાબત એ છે કે, હત્યા કર્યા બાદ પણ લૂંટારુઓ ડર્યા વગર એક કલાક સુધી મૃતદેહ પાસે બેસીને ઘર ફંફોસતા રહ્યા હતા.
મોઢું દબાવી, પગ બાંધીને ખેલાયો ખૂની ખેલ
મૃતક ભારતીબેન બજરંગી (ઉં.વ. 60) લાંબા સમયથી ઘરમાં એકલા રહેતા હતા. મોડી રાત્રે ત્રણ જેટલા હેવાન લૂંટારુઓ તેમના ઘરમાં ત્રાટક્યા હતા. વૃદ્ધા પ્રતિકાર ન કરે તે માટે લૂંટારુઓએ તેમના પગ બાંધી દીધા હતા અને અત્યંત નિર્દયતાથી તેમનું મોઢું દબાવીને શ્વાસ રુંધી નાખ્યો હતો.
હત્યા પછી પણ તિજોરી ફંફોસતા રહ્યા નરાધમો
સામાન્ય રીતે ગુનો કર્યા બાદ ગુનેગારો ભાગી છૂટતા હોય છે, પરંતુ અહીં લૂંટારુઓએ નિર્ભય બનીને એક કલાક સુધી ઘરમાં મુકામ કર્યો હતો. ઠંડા કલેજે હત્યા કર્યા બાદ તેઓએ આખું ઘર વેરવિખેર કરી નાખ્યું, તિજોરીઓ તોડી અને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ ચલાવી હતી. વહેલી સવારે પાડોશીએ દરવાજો ખુલ્લો જોતા આ પાશવી ઘટનાનો પર્દાફાશ થયો હતો.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે, સીસીટીવીમાં કેદ થયા આરોપીઓ ઘટનાની ગંભીરતા જોતા સરદારનગર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ, FSL અને ડોગ સ્ક્વોડની ટીમ દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજમાં ત્રણ શંકાસ્પદ શખ્સો જોવા મળ્યા છે, જેમના આધારે પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં એકલા રહેતા વૃદ્ધોની સુરક્ષા પર મોટા સવાલો ઉભા કર્યા છે.

Related posts

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર

Ahmedabad Samay

કેજરીવાલે મેટ્રો કોર્ટના સમન્સ પર રોક લગાવવા પર હાઈકોર્ટમાં કરેલી અરજી મામલે આજે સુનાવણી

Ahmedabad Samay

અમદાવાદના નવા મેયર તરીકે પ્રતિભા જૈને નિમણુંક કરવામાં આવ્યા

Ahmedabad Samay

આંગણવાડીના બાળકોમાં પહેરવેશનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

Ahmedabad Samay

આજ રોજ છે ‘કામિકા એકાદશી’, જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા એકાદશીની મહિમા

Ahmedabad Samay

ગુજરાતમાં H1N1 અને H3N2ના જાણો અત્યાર સુધીમાં કેટલા કેસો નોંધાયા

admin

એક ટિપ્પણી મૂકો