June 5, 2026
અપરાધગુજરાત

છારાનગરની ફ્રી કોલોનીમાં તસ્કરોએ માત્ર લૂંટના ઈરાદે 60 વર્ષીય વૃદ્ધાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક કમકમાટીભરી ઘટના છારાનગરમાં સામે આવી છે. છારાનગરની ફ્રી કોલોનીમાં તસ્કરોએ માત્ર લૂંટના ઈરાદે 60 વર્ષીય વૃદ્ધાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં સૌથી વધુ આંચકાજનક બાબત એ છે કે, હત્યા કર્યા બાદ પણ લૂંટારુઓ ડર્યા વગર એક કલાક સુધી મૃતદેહ પાસે બેસીને ઘર ફંફોસતા રહ્યા હતા.
મોઢું દબાવી, પગ બાંધીને ખેલાયો ખૂની ખેલ
મૃતક ભારતીબેન બજરંગી (ઉં.વ. 60) લાંબા સમયથી ઘરમાં એકલા રહેતા હતા. મોડી રાત્રે ત્રણ જેટલા હેવાન લૂંટારુઓ તેમના ઘરમાં ત્રાટક્યા હતા. વૃદ્ધા પ્રતિકાર ન કરે તે માટે લૂંટારુઓએ તેમના પગ બાંધી દીધા હતા અને અત્યંત નિર્દયતાથી તેમનું મોઢું દબાવીને શ્વાસ રુંધી નાખ્યો હતો.
હત્યા પછી પણ તિજોરી ફંફોસતા રહ્યા નરાધમો
સામાન્ય રીતે ગુનો કર્યા બાદ ગુનેગારો ભાગી છૂટતા હોય છે, પરંતુ અહીં લૂંટારુઓએ નિર્ભય બનીને એક કલાક સુધી ઘરમાં મુકામ કર્યો હતો. ઠંડા કલેજે હત્યા કર્યા બાદ તેઓએ આખું ઘર વેરવિખેર કરી નાખ્યું, તિજોરીઓ તોડી અને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ ચલાવી હતી. વહેલી સવારે પાડોશીએ દરવાજો ખુલ્લો જોતા આ પાશવી ઘટનાનો પર્દાફાશ થયો હતો.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે, સીસીટીવીમાં કેદ થયા આરોપીઓ ઘટનાની ગંભીરતા જોતા સરદારનગર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ, FSL અને ડોગ સ્ક્વોડની ટીમ દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજમાં ત્રણ શંકાસ્પદ શખ્સો જોવા મળ્યા છે, જેમના આધારે પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં એકલા રહેતા વૃદ્ધોની સુરક્ષા પર મોટા સવાલો ઉભા કર્યા છે.

Related posts

ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં કોરોના ભારત માંથી સમાપ્ત થઇ જશે.

Ahmedabad Samay

અંબાજીના ગબ્બર પર્વત પર જવા માટેની સૌથી સુવિધાજનક એવી ‘રોપ-વે’ સેવા આગામી સોમવારથી સતત ૬ દિવસ માટે બંધ

Ahmedabad Samay

અરવલ્લી મોડાસા ખાતે ટુ તથા ફોર વ્હીલર વાહનની સીરીઝના નંબરોની જાહેર હરાજી કરાશે

Ahmedabad Samay

પતિ કરતા વધુ કમાય તો પત્નીને ભરણપોષણ ન મળી શકે : કોર્ટ સાસરિયાઓ સામે ઘરેલું હિંસાનો કેસ મુંબઈની એક સેશન્સ કોર્ટે પતિ- કર્યો હતો

Ahmedabad Samay

રાજ્યમાં દારૂ પીવામાં છૂટછાટ આપવામાં આવી છે. ચાલો જાણીએ કે, આ છૂટ કોને અને કેવી રીતે મળે છે.

Ahmedabad Samay

અસારવા વોર્ડમાં અપક્ષ ઉમેદવાર તરીકે પુનમચંદ રણજીતસિંહ વણઝારા લડશે ઇલેક્શન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો