June 17, 2026
Other

અમદાવાદના છારાનગર લૂંટના ઇરાદે આવી હત્યા કરવાના કેસમાં બે આરોપીઓની સરદારનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી

અમદાવાદમાં આવેલા છારાનગરમાં 3 માર્ચે મોડી રાત્રે મહિલાના ઘરમાં લૂંટના ઇરાદે આવી હત્યા કરવાના કેસમાં બે આરોપીઓની સરદારનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

છારાનગર વિસ્તારમાં મજૂરી કામ કરતા બે યુવકો દ્વારા ઉત્તર પ્રદેશના આગરાથી બે માણસો બોલાવીને લૂંટના ઇરાદે મહિલાની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ રેલવે ટ્રેકથી અલગ અલગ વાહનોમાં યુપી ખાતે નાસી ગયા હતા. સરદારનગર પોલીસ દ્વારા CCTV ફૂટેજીસના આધારે તપાસ કરી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી કે મહિલાનું મૃત્યુ થઈ ગયું છે કે નહીં તે તપાસ કરવા ફરીથી એક આરોપી ઘરમાં પાછો ગયો હતો અને મહિલા મરી ગઈ છે કે કેમ એની ખાતરી કર્યા બાદ જ ત્યાંથી નીકળ્યો હતો. બાકીના બે આરોપીઓની ધરપકડ કરવાની પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

સાધ્વીજી મહારાજ ઉપવાસ પર ઉતરવું પડે એવું કામ કોણે કર્યું: હાર્દિક હૂંડિયા

Ahmedabad Samay

અખિલ ભારતીય રાજભર મહાસભાદ્વારા અમદાવાદના વટવા ખાતે રાજભર મહાસંમેલન યોજાયું

Ahmedabad Samay

વિસાવદર ના સતાધાર નજીક બીમારી જોવા માટે લોકોના ટોળેટોળા વળ્યા હતા

Ahmedabad Samay

વટવા વિધાનસભાના વસ્ત્રાલ સ્થિત રાજહંસ સિનેમામાં ઉત્તર ભારતીય વિકાસ પરિષદની સમગ્ર ટીમે અને પ્રદેશ અધ્યક્ષ મહેશસિંહ કુશવાહજી દ્વારા મોદીજીના જીવન પર બનેલી શોર્ટ ફિલ્મ નિહાળવાનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

બાગેશ્વર ધામના પ.પૂજય ધીરેન શાસ્ત્રીનું ચાણક્યપુરી ના બદલે ઓગણજમા દરબાર યોજાશે

Ahmedabad Samay

રાહુલ ગાંધીને દરેક વસ્તુનો વિરોધ કરવાની ટેવ પડી ગઈ છેઃ ગૃહમંત્રી અમિત શાહ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો