August 7, 2026
Other

અમદાવાદના છારાનગર લૂંટના ઇરાદે આવી હત્યા કરવાના કેસમાં બે આરોપીઓની સરદારનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી

અમદાવાદમાં આવેલા છારાનગરમાં 3 માર્ચે મોડી રાત્રે મહિલાના ઘરમાં લૂંટના ઇરાદે આવી હત્યા કરવાના કેસમાં બે આરોપીઓની સરદારનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

છારાનગર વિસ્તારમાં મજૂરી કામ કરતા બે યુવકો દ્વારા ઉત્તર પ્રદેશના આગરાથી બે માણસો બોલાવીને લૂંટના ઇરાદે મહિલાની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ રેલવે ટ્રેકથી અલગ અલગ વાહનોમાં યુપી ખાતે નાસી ગયા હતા. સરદારનગર પોલીસ દ્વારા CCTV ફૂટેજીસના આધારે તપાસ કરી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી કે મહિલાનું મૃત્યુ થઈ ગયું છે કે નહીં તે તપાસ કરવા ફરીથી એક આરોપી ઘરમાં પાછો ગયો હતો અને મહિલા મરી ગઈ છે કે કેમ એની ખાતરી કર્યા બાદ જ ત્યાંથી નીકળ્યો હતો. બાકીના બે આરોપીઓની ધરપકડ કરવાની પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

આજે મહાધમાકામાં ૩ મોટી ફિલ્મો થિયેટરોમાં ધૂમ મચાવશે, જ્યારે ૫ હાઈ-બજેટ વેબસિરિઝ થશે રિલીઝ

Ahmedabad Samay

ગત રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટની વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન હેતુ મિટિંગ આયોજન કરાઇ.

Ahmedabad Samay

ભુલાભાઈ પાર્ક વિસ્‍તાર પાસે વિદ્યાર્થિનીની છેડતી કરવી એક રોમિયોને ભારે પડી,સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

Ahmedabad Samay

GSRTC દ્વારા સરકારી એસટી બસમાં ડ્રાઈવર અને કંડક્ટરની જગ્યાઓ માટે મેગા ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

ટીમ ઈન્ડિયાએ 228 રનથી મોટી જીત હાંસલ કરી, પાકિસ્તાનની અત્યાર સુધીમાં બીજી મોટી હાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો