February 6, 2026
Other

ગત રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટની વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન હેતુ મિટિંગ આયોજન કરાઇ.

ગત રોજ મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા બીજા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવા હેતુ કાર્યકરો અને સમાજના આગેવાનોની મિટિંગ આયોજન કરવામાં આવી હતી, મિટિંગમાં ૨૬ મેં ૨૦૨૪ના રોજ બીજું વાર્ષિક સ્નેહમિલનની તારીખ નિર્ધારિત કરવામાં આવી હતી, વધુમાં સ્નેહમિલન કાર્યક્રમ અંગે વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને દરેક સભ્યોને સ્નેહમિલન માટે કાર્યભાર આપવામાં આવ્યા હતા,ટ્રસ્ટના સભ્યો દ્વારા આ વર્ષે સ્નેહમિલનનું ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવશે અને આમંત્રણ આપવામાં આવવાનું છે જેથી વધુમાં વધુ સમાજ બંધુ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે.

ગત રોજ ટ્રસ્ટમાં નવીન સભ્યોને પણ નિમણુંક કરવામાં આવી હતી જેમાં શ્રી દિનેશ દેવલેકર અને નરેશ તામાનકરને નવા કાર્યકારની ટ્રસ્ટી તરીકે નીમવામાં આવ્યા જતા  જયારે શ્રી પરેશ દેવલકરને જિલ્લા ઉપાધ્યક્ષ, જીતેન્દ્ર કેલકરને જિલ્લા પ્રમુખ અને શ્રી સંધ્યા દેવલેકરને મહિલા જિલ્લા અધ્યક્ષ તરીકે ની નિમણુંક કરવામાં આવી, મીટિંગમાં ટ્રસ્ટના સભ્યો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ મિટિંગને સફળ બનાવી હતી, ટ્રસ્ટ દ્વારા સમાજના તમામ પરિવાર જનોને આ કાર્યક્રમમાં અચૂક ઉપસ્થિત રહેવા માટે વિનંતી કરવામાં આવી છે.

Related posts

લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

“સેવ અર્થ” NGO દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ જેટલા જુદા જુદા વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન કરવામાં આવ્યું

Ahmedabad Samay

આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન, સંપૂર્ણ તૈયારિયો થઇ પૂર્ણ

Ahmedabad Samay

હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે

Ahmedabad Samay

બ્લોસમ ઈવેન્ટ ગ્રુપ દ્વારા પ્રીન્યૂ ઈયર લેસિવેશન યોજવામાં આવ્યું,૨૦૦ જેટલી મહિલાઓ કાર્યક્રમમાં જોડાઇ

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરત અને અમદાવાદના અનેક કાર્યક્રમોમાં આપી હાજરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો