February 5, 2026
Other

ગત રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટની વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન હેતુ મિટિંગ આયોજન કરાઇ.

ગત રોજ મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા બીજા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવા હેતુ કાર્યકરો અને સમાજના આગેવાનોની મિટિંગ આયોજન કરવામાં આવી હતી, મિટિંગમાં ૨૬ મેં ૨૦૨૪ના રોજ બીજું વાર્ષિક સ્નેહમિલનની તારીખ નિર્ધારિત કરવામાં આવી હતી, વધુમાં સ્નેહમિલન કાર્યક્રમ અંગે વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને દરેક સભ્યોને સ્નેહમિલન માટે કાર્યભાર આપવામાં આવ્યા હતા,ટ્રસ્ટના સભ્યો દ્વારા આ વર્ષે સ્નેહમિલનનું ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવશે અને આમંત્રણ આપવામાં આવવાનું છે જેથી વધુમાં વધુ સમાજ બંધુ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે.

ગત રોજ ટ્રસ્ટમાં નવીન સભ્યોને પણ નિમણુંક કરવામાં આવી હતી જેમાં શ્રી દિનેશ દેવલેકર અને નરેશ તામાનકરને નવા કાર્યકારની ટ્રસ્ટી તરીકે નીમવામાં આવ્યા જતા  જયારે શ્રી પરેશ દેવલકરને જિલ્લા ઉપાધ્યક્ષ, જીતેન્દ્ર કેલકરને જિલ્લા પ્રમુખ અને શ્રી સંધ્યા દેવલેકરને મહિલા જિલ્લા અધ્યક્ષ તરીકે ની નિમણુંક કરવામાં આવી, મીટિંગમાં ટ્રસ્ટના સભ્યો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ મિટિંગને સફળ બનાવી હતી, ટ્રસ્ટ દ્વારા સમાજના તમામ પરિવાર જનોને આ કાર્યક્રમમાં અચૂક ઉપસ્થિત રહેવા માટે વિનંતી કરવામાં આવી છે.

Related posts

છોડમાં લાગી ગયા છે જંતુઓ, તો આ 5 ટીપ્સ અનુસરો, તરત જ નીકળીને ભાગી જશે

Ahmedabad Samay

આવતી કાલે CNG પંપો બંધ રાખવા મામલે જાણો એસોસિએશન દ્વારા શું નિર્ણય લેવાયો

Ahmedabad Samay

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેત કરાયું

Ahmedabad Samay

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વસંત પંચમી માં સરસ્વતી ના પાવન દિવસ પર ધાબળા વિતરણ કરવામાં આવ્યા

Ahmedabad Samay

બજરંગદળ ઉતર ગુજરાત પ્રાંત દ્વારા કર્ણાવતી ઘાસિરામ ભવન શાહીબાગ ખાતે નશામુક્ત ભારત અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

સરકારે વિધાનસભામાં કબૂલ્યું કે, અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી બદલવા માટે રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત જ નથી કરી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો