August 10, 2026
Other

ગત રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટની વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન હેતુ મિટિંગ આયોજન કરાઇ.

ગત રોજ મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા બીજા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવા હેતુ કાર્યકરો અને સમાજના આગેવાનોની મિટિંગ આયોજન કરવામાં આવી હતી, મિટિંગમાં ૨૬ મેં ૨૦૨૪ના રોજ બીજું વાર્ષિક સ્નેહમિલનની તારીખ નિર્ધારિત કરવામાં આવી હતી, વધુમાં સ્નેહમિલન કાર્યક્રમ અંગે વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને દરેક સભ્યોને સ્નેહમિલન માટે કાર્યભાર આપવામાં આવ્યા હતા,ટ્રસ્ટના સભ્યો દ્વારા આ વર્ષે સ્નેહમિલનનું ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવશે અને આમંત્રણ આપવામાં આવવાનું છે જેથી વધુમાં વધુ સમાજ બંધુ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે.

ગત રોજ ટ્રસ્ટમાં નવીન સભ્યોને પણ નિમણુંક કરવામાં આવી હતી જેમાં શ્રી દિનેશ દેવલેકર અને નરેશ તામાનકરને નવા કાર્યકારની ટ્રસ્ટી તરીકે નીમવામાં આવ્યા જતા  જયારે શ્રી પરેશ દેવલકરને જિલ્લા ઉપાધ્યક્ષ, જીતેન્દ્ર કેલકરને જિલ્લા પ્રમુખ અને શ્રી સંધ્યા દેવલેકરને મહિલા જિલ્લા અધ્યક્ષ તરીકે ની નિમણુંક કરવામાં આવી, મીટિંગમાં ટ્રસ્ટના સભ્યો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ મિટિંગને સફળ બનાવી હતી, ટ્રસ્ટ દ્વારા સમાજના તમામ પરિવાર જનોને આ કાર્યક્રમમાં અચૂક ઉપસ્થિત રહેવા માટે વિનંતી કરવામાં આવી છે.

Related posts

નિર્મલા સીતારમણે રજૂ કરેલા તેમના નવમા બજેટમાં મધ્યમ વર્ગ અને પગારદાર કરદાતાઓ માટે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો

Ahmedabad Samay

ચણિયા ટોળી’ ફિલ્મે અત્યાર સુધી ભારતમાં 13.71 કરોડથી વધુ કમાણી કરી

Ahmedabad Samay

સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષા રોપણ ના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ધ ઈન્ડિયા સ્ટોરી સ્લો પોઈઝન ઇન પ્રોગ્રેસ” નું ખૂબ જ અપેક્ષિત ટ્રેલર રિલીઝ

Ahmedabad Samay

નાણામંત્રી નિર્મલા સિતારમન સાંજે ૦૪ વાગે પેકેજ જાહેર કરશે.

Ahmedabad Samay

માહી ગ્રુપના ખજાનચીના લાડકા દીકરાના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકાર્યોના આયોજન કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો