June 22, 2026
અપરાધદેશરાજકારણ

મમતા બેનર્જીને હરાવનાર ભાજપના કદાવર નેતા અને ધારાસભ્ય સુવેન્દુ અધિકારીના અંગત સચિવ (PA) ચંદ્રનાથ રથની ઘાતકી હત્યા

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હિંસાનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. જેમાં મમતા બેનર્જીને હરાવનાર ભાજપના કદાવર નેતા અને ધારાસભ્ય સુવેન્દુ અધિકારીના અંગત સચિવ (PA) ચંદ્રનાથ રથની ઘાતકી હત્યા કરવામાં આવી છે. અજાણ્યા હુમલાખોરોએ આ હિંસક હુમલાને અંજામ આપીને સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુવેન્દુ અધિકારીના અંગત સચિવ ચંદ્રનાથ રથ પર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં હુમલાખોરોએ તેમના પર ત્રણ રાઉન્ડ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં એક ગોળી તેમના માથામાં, બીજી છાતીમાં અને ત્રીજી પગમાં વાગી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ શરૂ થયેલી આ હિંસાને કારણે રાજકીય વાતાવરણ ઉગ્ર બન્યું છે. ચંદ્રનાથ રથની હત્યા કરનારા હુમલાખોરો કોણ હતા અને તેમની પાછળનો હેતુ શું હતો, તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

સુરતમાં બાળકી પર દુષ્કર્મ અને હત્યાના આરોપી ગુડડુ યાદવને ફાસીની સજા ફટકારી

Ahmedabad Samay

રક્ષક જ બન્યા ભક્ષક: પાલક પિતાએ બે માસ સુધી સાવકી પુત્રી પર શારીરિક અડપલા કરી ધમકી આપતા

Ahmedabad Samay

વડાપ્રધાનના રાજકોટના કાર્યક્રમને લઈને તૈયારીઓ તેજ, રેસકોર્સ ખાતે સભાને સંબોધન કરશે

Ahmedabad Samay

છત્રપતિ શિવાજી મહારાજના ૧૨ કિલ્લાઓ વિશ્વ ધરોહર બન્યા, જાણો ૧૨ કિલ્લા વિશે માહિતી

Ahmedabad Samay

ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે સિરીઝમાં અજેય રહેવાની મેચ જીતી લીધી,અજીત વાડેકરની સફળતાનુ પુનરાવર્તન કર્યુ

Ahmedabad Samay

ભારતથી આવતી ફ્લાઇટ પર કેનેડામાં વધુ એક મહિનો પાબંદી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો