June 27, 2026
ગુજરાત

વડાપ્રધાન મોદી સોમનાથ અમળત પર્વમાં આજે સહભાગી થયા

સોમનાથ અમળત મહોત્‍સવ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ છેલ્લા ૧,૦૦૦ વર્ષોમાં જ્‍યોર્તિલિંગ પર થયેલા હુમલાઓ અને પુનર્નિર્માણ તરફની તેની સફરને યાદ કરી. તેમણે ૧૧ મે, ૧૯૯૮ ના રોજ કરવામાં આવેલા પોખરણ પરીક્ષણને યાદ કર્યું, જેમાં તેમણે વર્ણન કર્યું કે કેવી રીતે વિશ્વએ તેનો વિરોધ કર્યો, પરંતુ ભારત અડગ રહ્યું. તેમણે કહ્યું કે વિશ્વની કોઈ શક્‍તિ ભારતને વશ કરી શકતી નથી કે દબાણ કરી શકતી નથી.

વડાપ્રધાન મોદી સોમનાથ અમળત પર્વમાં આજે સહભાગી થયા હતા. સોમનાથ હેલિપેડથી હમીરજી સર્કલ સુધી રોડ શો યોજ્‍યો હતો. કેસરી અને સફેદ ફૂલોથી શણગારેલ જીપમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. PM મોદીનું શંખ અને ડમરૂના નાદ સાથે સ્‍વાગત કરાયું હતું. તેમણે મંદિર પરિસરમાં લોહ પુરુષ સરદાર પટેલની પ્રતિમા પર ફૂલો અર્પણ કરી નમન કર્યું હતું. ભ્‍પ્‍ મોદીએ મહાદેવના દર્શન કરી વિશેષ પૂજામાં ભાગ લીધો હતો. ભગવાન શિવની અભિષેક પૂજા બાદ PM મોદીએ આરતી કરી હતી. દરમિયાન, મંદિર પરિસર પર ચેતક હેલિકોપ્‍ટર દ્વારા ફૂલોની વર્ષા કરાઈ હતી. ભ્‍પ્‍ મોદીએ રિમોટથી મંદિરના શિખર પર કુંભાભિષેક કર્યો હતો. સોમનાથના આકાશમાં સૂર્યકિરણ ટીમે અદભુત કરતબો કર્યા હતા.

પરીક્ષણ પછી વિશ્વભરમાંથી આવેલા દબાણનો ઉલ્લેખ કરતા, પીએમ મોદીએ કહ્યું કે અસંખ્‍ય પ્રતિબંધો લાદવામાં આવ્‍યા હતા અને ભારતને દબાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્‍યા હતા, પરંતુ ભારત અડગ રહ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું, આજનો દિવસ બીજા કારણોસર ખાસ છે. આ જ દિવસે, દેશે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું. આપણા વૈજ્ઞાનિકોએ વિશ્વને ભારતની શક્‍તિ અને ક્ષમતા દર્શાવી. ભારત… આ સ્‍થિતિ… ભારત કોણ છે… પરમાણુ પરીક્ષણ કરવા માટે? આ વિચારથી વિશ્વ હચમચી ગયું. વિશ્વભરની શક્‍તિઓ ભારતને દબાવવા માટે આગળ આવી. અનેક પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્‍યા હતા. શકયતાના બધા રસ્‍તા બંધ થઈ ગયા. કોઈ પણ હચમચી ગયું હોત… જો વૈશ્વિક શક્‍તિઓ આટલો મોટો હુમલો કરે, તો આગળનો રસ્‍તો દેખાતો નથી. પરંતુ આપણે અલગ માટીના બનેલા છીએ.

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ઇચ્‍છાશક્‍તિની ચર્ચા કરતા પીએમ મોદીએ કહ્યું, ૧૧ મે પછી દુનિયાએ આપણા પર હુમલો કર્યો. ૧૧ મેના રોજ વૈજ્ઞાનિકોએ પોતાનું કાર્ય પૂર્ણ કર્યું હતું, પરંતુ ૧૩ મેના રોજ વધુ બે પરમાણુ પરીક્ષણો કરવામાં આવ્‍યા. આનાથી દુનિયાને ખબર પડી કે ભારતની રાજકીય ઇચ્‍છાશક્‍તિ કેટલી અડગ છે. તે સમયે, સમગ્ર વિશ્વ ભારતથી દબાણ હેઠળ હતું. પરંતુ અટલજીના નેતળત્‍વ હેઠળની ભાજપ સરકારે દર્શાવ્‍યું કે આપણા માટે, રાષ્‍ટ્ર પ્રથમ આવે છે. વિશ્વની કોઈ પણ શક્‍તિ ભારતને વાળી કે દબાણ કરી શકતી નથી.

ગુજરાતમાં સોમનાથ મંદિરના પુનઃસ્‍થાપનની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે જો ભારતને ૧૯૪૭માં આઝાદી મળી, તો ૧૯૫૧માં સોમનાથના અભિષેકથી ભારતની સ્‍વતંત્ર ચેતના જાહેર થઈ. તેમણે કહ્યું, સ્‍વતંત્રતા સમયે, સરદાર સાહેબે ૫૦૦ થી વધુ રજવાડાઓને એક કરીને એક અખંડ ભારત બનાવ્‍યું. વધુમાં, સોમનાથનું પુનર્નિર્માણ કરીને, તેમણે વિશ્વને બતાવ્‍યું કે ભારત માત્ર સ્‍વતંત્ર જ નથી, પરંતુ તેનું પ્રાચીન ગૌરવ પાછું મેળવવાના માર્ગ પર પણ છે

Related posts

ભાજપના નવા મંત્રીઓ એ લીધા શપથ

Ahmedabad Samay

શ્રી દિનેશ દેવલેકરે ગુડી પાડવા નિમિતે ગુડી બનાવી પૂજા કરી અને કોરોનાથી વિશ્વને મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી

Ahmedabad Samay

અમદાવાદની કુખ્‍યાત ડ્રગ્‍લસ સપ્‍લાયર અમીનાબાનુ અને તેના સાગરી સમીર ઉદ્દીન ઉર્ફે બોન્‍ડની ક્રાઇમ બ્રાન્‍ચે ધરપકડ કરી

Ahmedabad Samay

ગોપાલ ઇટાલિયાએ સહાનુભૂતિ મેળવવા માટે તેમણે પોતાની વૃદ્ધ માતાનો રાજકીય ઢાલ તરીકે ઉપયોગ કરવાની વાત આ વાયરલ ઓડિયો ક્‍લિપમાં સ્‍વીકારી

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્‍તારમાં કળયુગના માતાપિતાએ પોતાની દીકરીને ૪૦ હજારમા વહેચી

Ahmedabad Samay

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે કર્મચારીઓને પણ હેરાનગતિ, છતમાંથી પાણી ટપકતાં ડોલ ભરીને કાઢવું પડ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો